લાખો વિધ્યાર્થીઓ ના ભવિષ્ય સાથે ચેડાં કરતી આ ભાજપ સરકાર ના પેપર કાંડ ને ઉજાગર કરતા વિધ્યાર્થી નેતા યુવરાજસિંહજી વિરુદ્ધ ખોટાં કેસમાં જેલમાં પૂરી દેવા બાબતે કલેકટરને આવેદનપત્ર આપ્યુ
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણભાઈ રામ અને મોરબી જિલ્લા પ્રભારી શીવાજીભાઈ ડાંગર તથા મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા પ્રમુખ ભવદિપસીહ ઝાલાની આગેવાની હેઠળ મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે આજ રોજ આવેદનપત્ર આપી અને યુવરાજસીહ ના સમર્થનમાં ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા, જેમાં મોરબી જિલ્લા ટીમમાંથી મોરબી જિલ્લા ઉપપ્રમુખ વનરાજસિંહ વાધેલા, મોરબી જિલ્લા મહામંત્રી જસવંતભાઈ કગથરા તથા મોરબી તાલુકા ટીમ માથી મોરબી તાલુકા પ્રમુખ દિવ્યેશભાઈ મગુનીયા, મોરબી તાલુકા યુવા પ્રમુખ રમેશભાઈ સદાતીયા તથા મોરબી શહેર યુવા ટીમ માથી મોરબી શહેર યુવા ઉપપ્રમુખ વિશ્વજીતસીહ જાડેજા, મોરબી શહેર યુવા ઉપપ્રમુખ કિશનભાઈ ઠક્કર, વિશ્વાસભાઈ મોરબી શહેર યુવા મંત્રી હાજર રહ્યા હતા.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...