મોરબી : વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા જીલ્લા બેઠક યોજાઈ હતી જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત સામાજિક સમરસતા પ્રમુખ રમેશભાઈ પંડ્યા, સૌરાષ્ટ્ર પ્રાંત ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ પ્રવિણસિંહ કંચવા, વિહિપ મોરબી જિલ્લા સંત સંયોજક નિરંજન દાસ મહારાજ, વિહિપ જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ સવસાણી અને વિહિપ જિલ્લા મંત્રી કમલભાઈ દવેની ઉપસ્થિતિમાં મોરબી જિલ્લા, મોરબી નગર, મોરબી ગ્રામ્ય અને વાંકાનેરના નવા હોદેદારોની નિમણુંક કરવામાં આવી હતી.
નવા હોદેદારોમાં મોરબી જિલ્લા અધિવક્તા પરિષદ વિધિનિધિ તરીકે એડવોકેટ મહિધરભાઈ એચ દવે, મહિલા વિભાગ સંયોજિકા તરીકે જયશ્રીબેન વાઘેલા, બજરંગ દળ સહ સંયોજક તરીકે મિલનભાઈ મેરજા અને ગૌ રક્ષક પ્રમુખ તરીકે જીગ્નેશભાઈ વિસાવડિયાની નિમણુંક કરવામાં આવી છે જયારે વિશ્વ હિન્દૂ પરિષદ મોરબી ગ્રામ્યના ઉપપ્રમુખ તરીકે અશ્વિનભાઈ મારવણીયા અને ગ્રામ્ય મંત્રી તરીકે મનોજભાઈ કાવરની વરણી કરવામાં આવી છે.
મોરબી નગર વિશ્વ હિન્દૂ પરિષદના ઉપપ્રમુખ તરીકે રાઘુભાઈ રવાભાઈ ડાંગર, વિહિપ મોરબી શહેર કોલેજીયન ઉપપ્રમુખ તરીકે લાખાભાઈ મગનભાઈ ડાંગર, પ્રચાર-પ્રસાર પ્રમુખ તરીકે દીપેશભાઈ ભાનુશાલી, બજરંગદળ બલોપાસના પ્રમુખ તરીકે નિલેશભાઈ ડાભી, અધિવક્તા પરિષદ (વિધિનિધિ) તરીકે એડવોકેટ પ્રતીકભાઈ ગોગરા અને ગૌરક્ષક ઉપપ્રમુખ તરીકે પ્રભાતસિંહ શુરસીહ સોલંકીની નિમણુંક કરવામાં આવી છે.
વાંકાનેર શહેર વિહિપ પ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ તરીકે મયુરભાઈ જાદવ અને અનિલભાઈ કૂણપરા, બજરંગ દળ સંયોજક તરીકે દીપકભાઈ રાજગોર અને બજરંગ દળ સહસંયોજક તરીકે મેહુલભાઈ પનારાની નિમણુંક કરવામાં આવી છે.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...