મોરબી : ABVPના સ્ટુડન્ટ ફોર સેવાના આયામ હેઠળ આગામી તા.23 માર્ચ શહીદ દિન નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.રક્તદાન કરનાર રક્તદાતાઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે.તેમજ કોલેજ કેમ્પસમાં બ્લડ ડિરેક્ટરીની રચના પણ કરવામાં આવશે.વધુ લોકો આ રક્તદાન કેમ્પમાં જોડાય તેવી અપીલ કરવામાં આવી છે.
એ જ રીતે ABVP ના સ્ટુડન્ટ ફોર સેવા ના આયામ અંતર્ગત 23 માર્ચ શહીદ દિન નિમિતે રક્તદાન કેમ્પ યોજાશે. 23/3/2022 ના રોજ આ કેમ્પ સંસ્કાર બ્લડ બેંક ખાતે સવારે 9:00 વાગ્યા થી 2:00 વાગ્યા સુધી યોજાશે. રક્તદાતાઓ ને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો તેમજ સર્વે નાગરિકો આ કેમ્પ માં જોડાય તેવી ABVP પરિવાર અપિલ કરે છે. આ ઉપરાંત આગામી સમય માં કોલેજ કેમ્પસ માં બ્લડ ડિરેક્ટરી ની રચના પણ કરાશે.
તેમજ આ કાર્યક્રમ ના ઇન્ચાર્જ શક્તિસિંહ ઝાલા નગર SFS સંયોજક(9687535939) તેમજ રાજદીપસિંહ જાડેજા નગર હોસ્ટેલ સંયોજક (8238315600)જેઓ રહેશે વધુ માહિતી માટે આપ તેમનો સંપર્ક કરી શકાશે.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...