વિશ્વ પ્રસિદ્ધ આધ્યાત્મિક સંત સદગુરૂ જગ્ગી વાસુદેવ વિશ્વઉમિયાધામના મહેમાન બન્યા. આજ રોજ તા.31/05/22ને મંગળવારના રોજ ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી સદગુરૂ અમદાવાદના જાસપુર ખાતે વિશ્વઉમિધામના નિર્માણધીન વિશ્વના સૌથી ઉંચા જગત જનની મા ઉમિયાના મંદિરની શિલાનું પૂજન કર્યું હતું.
સાથો સાથ અભિભાવક રૂપે સદગુરૂજીએ મા ઉમિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. લંડનથી શરૂ થયેલી અને વિશ્વના અનેકો દેશમાં પસાર થયેલી SAVE SOIL યાત્રા અનુસંધાને સદ્દગુરૂ આજે વહેલી સવારે 7 વાગ્યે વિશ્વઉમિયાધામ પધાર્યા હતા. સદ્દગુરૂએ ભાવિ ભક્તોને સંબોધતાં વર્તમાન પરિસ્થિતિમાં માટીને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય કે જેથી આવનાર પેઢીઓને સારો ખોરાક અને જીવન મળે તે અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું.
ધન્યક્ષણના સાક્ષી બની સર્વે ભક્તો આનંદવિભોર થઈ ગૌરવની અનુભુતી કરી હતી. આ પ્રસંગે વિગતે વાત કરતાં વિશ્વઉમિયાધામના પ્રણેતા અને સંસ્થા પ્રમુખશ્રી આર.પી.પટેલે જણાવ્યું હતું કે સદ્દગુરૂ જગત જનની મા ઉમિયાના ફેબ્રુઆરી 2020માં યોજાયેલા શિલાન્યાસ પ્રસંગમાં આવવાના હતા. સંજોગોવસાત કાર્યક્રમ બદલતાં તેઓ પધારી નહોતા શક્યા. પરંતુ સેવ સોઈલની યાત્રા અમદાવાદથી પસાર થતી હોય સદ્દગુરૂએ માતાજીના આશીર્વાદ લેવા અને શિલાપૂજન કરવા માટે ઈચ્છા દર્શાવી હતી જેના ભાગ રૂપે સદગુરૂ વિશ્વઉમિયાધામ પધાર્યા હતા.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...