મોરબી : મોરબી જિલ્લાની સરકારી કોલેજ રદ્દ કરી તાપીને ફાળવી દેવાતા સામાજિક સંસ્થાઓ નામી અનામી લોકો અને કોંગ્રેસ /આમ આદમી પાર્ટી દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરતા ખુદ ભાજપ નાં આગેવાનો ગાંધીનગર દોડી ગયા હતા અને આરોગ્ય મંત્રી ને રૂબરૂ મળીને મોરબી જિલ્લાને સરકારી મેડિકલ કોલેજ પરત મળે તેવી રજૂઆત કરી હતી
સાથે સાથે કોંગ્રેસે સતત છ દિવસના ધરણા શરૂ કરતા અંતે સરકારે હાલમાં નિર્ણય ફેરવી તોળી મોરબીને રૂપિયા 580 કરોડના ખર્ચે સરકારી મેડિકલ કોલેજ નુ જીએમઇઆરએસ હેઠળ ટેન્ડર બહાર પાડતા આજે ભાજપ અધ્યક્ષ દ્વારા પત્રકાર પરિષદ યોજવામા આવી હતી પરંતુ આરોગ્યમંત્રી કે સરકાર નાં ઓથેનટીક પ્રવક્તા દ્વારા સરકારી મેડિકલ કોલેજ ની કોઈ જાહેરાત કે કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નહતો
પણ ભાજપ જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ જાહેરાત કરી હતી કે મોરબી જિલ્લામાં સરકારી મેડિકલ કોલેજ આપવામાં આવશે અને તેના માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે પત્રકારો એ સવાલો કરયા હતાં કે કોલેજ નું સંચાલન સરકાર દ્વારા કરવામાં આવશે કે પછી અન્ય ખાનગી સંસ્થાને સોંપી દેવામાં આવશે સરકાર દ્વારા બ્રાઉન ફિલ્ડ નો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો તેવો ગ્રીન ફીલ્ડ નો પરિપત્ર ક્યારે બહાર પાડવામાં આવશે આવા તર્ક અને તથ્ય સાથે નાં સવાલો ના જવાબ આપવા નેં બદલે મોરબી જિલ્લામાં સરકારી મેડિકલ કોલેજ મળશે તેવી જાહેરાત કરી હતીતો બીજી તરફ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીલાલ પટેલ અને કોંગ્રેસ અગ્રણી મનોજ પનારાએ પણ પત્રકાર પરિષદ યોજી સરકારની જાહેરાતને પગલે આ નિર્ણયને જનતાની જીત ગણાવી હતી અને જો સરકાર હજુ પણ કઈ ઘાલમેલ કરી મોરબીને સરકારીને બદલે ખાનગી મેડિકલ કોલેજ અંગે નિર્ણય લેશે તો હજુ પણ જલદ આંદોલન કરવાની તૈયારી દર્શાવી સરકારી મેડિકલ કોલેજ માટે ટેન્ડર બહાર પડતા આજે એક દિવસના ધરણા ટૂંકાવવામાં આવ્યા હોવાનું જાહેર કર્યું હતું. ટૂંકમાં હિન્દી ચીની ભાઈ ભાઈ જેવો ઘાટ સર્જાયો હતો .
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...