12,મી જાન્યુઆરી એટલે યુવાનો અને વિદ્યાર્થીઓના આદર્શ એવા સ્વામી વિવેકાનંદજીની જન્મ જ્યંતી.આ દિવસ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મોરબી જિલ્લાના હળવદ તાલુકાની ઢવાણા પે સેન્ટર શાળામાં સ્વામી વિવેકાનંદજીની જન્મ જ્યંતીની ઉજવણીના ભાગરૂપે શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સ્વામીજી અને ભારતમાતાની આરતી ઉતારવામાં આવી હતી.
ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા સ્વામીજીના જીવન કવન પર આધારિત વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધામાં યુવાવસ્થાના ખરા અર્થમાં લક્ષણો,સંસ્કારોની વાતો કરવામાં આવી.આ કાર્યક્રમનો હેતુ બાળકોમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનો,અને ભરતીયતાના દર્શન કરાવવાના હતા.વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યોનો વારસો જળવાઈ રહે એવા શુભ આશય સાથે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમના આયોજન અને અમલીકરણમાં શાળાના તમામ સ્ટાફે ખુબજ જહેમત ઉઠાવી હતી.
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોની નવી આગાહી જાહેર કરી છે. તેમના જણાવ્યા મુજબ આજથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે, જોકે કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. સાથે જ જુલાઈના મધ્યભાગમાં બંગાળની ખાડીમાં નવી હવામાન...
સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે દુર્ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગઈકાલે રાંદેર વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી બે લોકોના મોતની ઘટના હજુ તાજી છે, ત્યારે આજે પાલી વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વરસાદી પાણીથી ભરાયેલા ખુલ્લા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત...