હળવદ : હળવદ – ધ્રાંગધ્રા પંથકમાં મીઠું પકવતા અગરિયાઓ નાં વિવિધ પ્રશ્ર્નો નેં લઇ ને ઠાકોર સમાજના આગેવાન પપ્પુભાઈ ઠાકોર સહિતના અગ્રણીઓ દ્વારા કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મૂંઝપરાને મુદ્દાસર રજુઆત કરી હતી.
કચ્છના નાના રણમાં મીઠું પકવતા હળવદ અને ધ્રાંગધ્રા તાલુકાના અગરિયા સમાજને પડતી મુશ્કેલીઓ અંગે સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાના ચૂંવાળીયા કોળી સમાજના આગેવાન એવા પપ્પુભાઈ ઠાકોર, સનતભાઈ ડાભી, ભરતભાઇ રાઠોડ, કિરણભાઈ થોરિયા, કિશોરભાઈ કંથડાયા, ધ્રાંગધ્રા તાલુકાના સરપંચ એસોસિએશન પ્રમુખ રતનસિંહ ઠાકોર તથા અન્ય સામાજિક આગેવાનોએ કેન્દ્રિયમંત્રી ડો.મહેન્દ્ર મુંઝપરા સાથે વિસ્તૃત રજુઆત કરી હતી.
વધુમાં આ રજુઆતમાં વિમુક્ત અને વિચરતી જાતિની અનામતનો પ્રશ્ને, રણકાંઠામાં વારંવાર નર્મદા કેનાલના પાણી ઘુસી આવતા અગરિયા સમાજને થતા નુકશાન બાબતે, અભ્યારણ વિસ્તારમાં થતા ગેરકાયદેસર દબાણો દૂર કરવા અંગે તેમજ સરકારશ્રીની વીવિધ કલ્યાણકારી યોજનાઓનો પછાત વર્ગના ગામોને વધુમાં વધુ લાભ મળે એ બાબતે રજુઆત કરવામાં આવી હતી.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...