મોરબી : મોરબીમાં વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા સમયાંતરે ધુન ભજન કિર્તન નાં આયોજન કરવામાં આવે છે ત્યારે ધૂન-ભજન અને ભોજન કાર્યક્રમનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે.આ અયોજન માત્ર સિનિયર સીટીઝન માટે જ રાખવામાં આવ્યો
મોરબીમાં વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા આગામી તા.3ને રવિવારના રોજ સવારે 10 થી 12 કલાકે જલારામ ધૂન મંડળ તરફથી ધૂન-ભજન તથા બપોરે 12:30 કલાકે ભોજનનું આયોજન કાયાજી પ્લોટ,ધન્વતરી ભવનમાં રાખેલ છે.આ કાર્યક્રમમાં સિનિયર સીટીઝનના સભ્યોને આમત્રંણ આપવામાં આવ્યું છે.આ કાર્યક્રમ માત્ર સિનિયર સીટીઝન માટે જ રાખવામાં આવ્યો છે.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...