માળિયા તાલુકા ના રાસંગપર ગામના ખેડૂત શૈલેષભાઈ બાવરવા અને દિપકભાઈ બાવરવા નાં ખેતર ઊપરથી પીજીવીસીએલ ની વિજ લાઇન નિકળતી હોય અકસ્માતે વિજ વાયર માં શોર્ટ સર્કિટ થવા થી આગ લાગતાં ખેતરમાં રહેલો ઊભો પાક બળી ને ખાખ થઈ ગયો હોય અને લાખો રૂપિયા ની નુકશાની થતાં
આ બાબતે પીજીવીસીએલ દફતરે ફરીયાદ કરતાં કોય સંતોષકારક જવાબ ના મળતાં આ બાબતે જિલ્લા પંચાયતના ચેરમેન અને સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન નાં મુખ્યા અજય ભાઈ લોરીયા મળી સઘણી હકીકત જણાવતાં અજય ભાઈ લોરીયા એ પોતાના ટ્રસ્ટ માંથી બન્ને ખેડુતો નેં 25.25 હજાર રૂપિયા ની આર્થિક સહાય કરી ઉમદા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું જેમાં માળિયા તાલુકા નાં પ્રમુખ મણિલાલ સરડવા મહામંત્રી મનિષ કાંજીયા અને ખીરઇ ગામનાં સરપંચ નિલેશભાઈ સંઘાણી તેમજ ભારદ્વાજ ભાઈ રંગપરીયા હાજર રહ્યા હતા
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...