સરકારી માધ્યમિક શાળા વેગડવાવમાં આચાર્ય રણજીતભાઈ ચાવડા (વર્ગ 2)ના પથદર્શક અને સચોટ માર્ગદર્શન હેઠળ તથા શિક્ષક માધુરીબેન માલવણીયા,કિરીટભાઈ ચૌહાણ, ભાવેશભાઈ ડાંગર, તથા સમગ્ર સ્ટાફની મહેનત અને ટીમ વર્કથી તારીખ 16 એપ્રિલ 2023 ના રોજ યોજાયેલ District Level STEM Quiz 2 (પરીક્ષામાં) વિદ્યાર્થીઓની અથાગ મહેનતના ફળ સ્વરૂપે સમગ્ર હળવદ તાલુકામાં ટોપ-10 માં RMSA સરકારી માધ્યમિક શાળા વેગડવાવ ત્રણ વિદ્યાર્થીઓની પસંદગી થયેલ છે.
ટોપ 10માં એકમાત્ર સરકારી શાળાના ત્રણ વિદ્યાર્થીઓની પસંદગી થતા સરકારી હાઇસ્કુલ વેગડવાવનું ગૌરવ વધારેલ તે બદલ સમગ્ર શાળા પરિવાર સ્ટાફ વતી વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન તેઓ જીવનમાં આવી જ રીતે સતત પ્રગતી કરી શાળા કુટુંબ તેમજ ગામનું નામ રોશન કરે તેવી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ સ્કુલ તરફથી આપવામાં આવી હતી.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...