મોરબી જિલ્લાના આમરણ પંથકમાં આવેલ બોડકી ગામે છેલ્લા બે મહિનાથી પીવાનું પાણી ન આવતા ગ્રામજનો ની હાલત કફોડી બની છે પીવા નુ પાણી મેળવવા માટે લોકો એ પાંચ કિલોમીટર દૂર જવું પડે છે ત્યારે માંડ માંડ એકાદ બે બેડા પીવાના પાણી નાં હાથ લાગે છે
ચુંટણી સમયે સબકા સાથ સબકા વિકાસ ની વાતો કરનાર નેતાઓ હાલ આ પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ નો ઉકેલ લાવવા નિષ્ફળ રહ્યાં છે ગ્રામજનો દ્વારા સાંસદ મોહનભાઇ કુંડારીયા રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા ને રૂબરૂ રજૂઆત કરી હતી જે અંગે નિરીક્ષણ કરેલ હોય છતાં પીવાના પાણીની સમસ્યાનો આજ દિન સુધી કોઈ સુખદ ઉકેલ આવ્યો નથી મુખ્ય કારણ એ છે કે પીપળીયા સંપ માંથી જે પાણીની લાઈન આવી રહી છે તેમાં સાત કરતાં વધુ ગામ ના કનેક્શન આપેલા હોય છેવાડાના બોડકી ગામ સુધી પીવાનું પાણી પહોંચતું નથી ગ્રામજનોની રજૂઆત બાદ હજનારી સંપ માં પાણીની પાઈપલાઈન નાંખવામાં આવી હતી
પરંતુ આમરણ ચોવીસી ના 14 ગામોએ વિરોધ કરતાં બોળકી ગામ નું પાણીનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું હોય હાલ બોળકી ગામ ને પીવાનું પાણી મળતું ન હોય ગ્રામજનો પાંચ કિલોમીટર દૂર રાજપર , દહીસરા ગામ ખાતેથી પીવાનું પાણી ભરવા મજબુર બન્યા છે તળાવનું પાણી દુર્ગંધ મારતું હોય પીવા લાયક ન હોય અને નજીકના વિસ્તારમાં દરિયો હોય બોરનું પાણી પણ ખારું નીકળતા પીવાના પાણી તરીકે તેનો ઉપયોગ થઈ શકતો નથી નાછૂટકે ગ્રામજનો એ પૈસા ખર્ચીને પીવાના પાણીનું ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે વહેલી તકે પીવાના પાણીની સમસ્યાનો સુખદ અંત આવે તેવું તંત્ર પાસે ગામલોકો ઇચ્છી રહ્યા છે
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...