મોરબી કચ્છ હાઈવે પર માળીયા નજીક આવેલ માધવ હોટલે ઉભી રહેલી બસમાંથી કચ્છના રાપરની આંગડીયા પેઢીનો કર્મચારી તેનો રોકડ ભરેલો થેલો સીટ ઉપર મૂકીને ચા-પાણી પીવા માટે બસ નીચે ઉતરતાં પાછળથી રૂપિયા 62.50 લાખ ભરેલ થેલો અજાણ્યા શખ્સો ઉપાડીને ફરાર થઈ જતાં સનસનાટી મચી જવા પામી છે.
આ બનાવ અંગે મળતી માહીતી મુજબ કચ્છના રાપરમાં હનુમાન મંદીરની પાસે રહેતા અને ઈશ્વર બેચર પટેલ આંગડીયા પેઢીમાં કામકાજ કરતા મહાદેવ રામભાઈ વાઘમારે (ઉં.વ. 43) આજે સવારે રાપરથી રાપર-મોરબી-રાજકોટ બસમાં બેસીને મોરબી આવતા હતા તે દરમિયાન બસ માળીયા નજીક હાઈવે ઉપર આવેલ માધવ હોટલે ઉભી રહેતા સૌ મુસાફરોની સાથે આંગડીયા પેઢીના કર્મચારી પણ ચા-પાણી પીવા માટે બસ નીચે ઉતર્યા હતા ત્યારે તેઓએ તેમનો કાળા કલરનો થેલો બસની સીટ ઉપર મુકયો હતો અને તે થેલામાં રોકડા રૂ. 62.50 લાખ હતા. આ રોકડ રકમ ભરેલો થેલો લઈને કોઈ અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા. અધધ રકમ ભરેલ થેલો ચોરી થઈ જતા બસને સવારે સીધી જ માળીયા પોલીસ મથકે લઈ જવામાં આવી હતી.
આ ઘટનાની જાણ થતાં જ માળીયા સ્થાનિક પોલીસ અને એલસીબી એસઓજી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વિધિવત ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા મેળવી ગુન્હાનો ભેદ ઉકેલવા તજવીજ હાથ ધરી હતી.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...