પ્રમુખ અને ચીફ ઓફિસર
ગેરહાજર હોય મહિલાઓ તેમના નામનાં છાજીયા લઇ વિરોધ દર્શાવ્યો
ર્ગંધ મારતાં દુષિત પાણી નાં કારણે નાનાં બાળકો માં રોગચાળો ફેલાવાનો ભય
મોરબીનગરપાલિકામાં શાસન બદલાયુ સત્તા સ્થાને બેઠેલા ચહેરાઓ બદલાયા પણ અફસોસ સાથે લખવુ પડે છે કે હજું પણ લોકો ની સમસ્યાનો ઉકેલ નથી આવતો સમસ્યાઓ એની એજ છે ખાસ કરીને ઉભરાતી ગટરની સળગતી સમસ્યા હલ કરવામાં પાલિકા તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે. જેમાં મોરબીના છેવાડા વિસ્તાર લાયન્સનગરમાં ગટરની સમસ્યાએ આડો આંક વાળી દેતા હવે ગટરના ગંધાતા દૂષિત પાણી ઘરોમાં ઘુસી જતા સ્થાનિક લોકો વિફર્યા હતા અને લોકોનું ટોળું નગરપાલિકાએ દોડી જઈને મોરચો માંડ્યો હતો. ત્યારે ચીફ ઓફિસર કે પ્રમુખ હાજર ન હોવાથી બન્નેના નામના હાય-હાયના નારા લગાવી લોકોએ ત્રણ દિવસમાં ગટરના પ્રશ્નનું નિરાકરણ ન આવે તો પાલિકાને તાળાબંધી કરવાની ચીમકી આપી છે.
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગર શેરી નંબર 1ના રહીશો આજે નગરપાલિકા કચેરીએ દોડી જઈને ભૂગર્ભ ગટર પ્રશ્ને ઉગ્ર રજુઆત કરી હતી કે, તેમની શેરીમાં છેલ્લા છ મહિનાથી ભૂગર્ભ ગટર ચોકઅપ થઈ ગઈ હોવાથી શેરીમાં નદીના વહેણની માફક ઉભરાઈ છે. ગટરના પાણી આખી શેરીમાં રેલમછેલ થઈને વહેતા હોવાથી ભારે ગંદકીને કારણે મચ્છરોનો ઉત્પાત વધ્યો છે. આથી મેલરીયા સહિતના રોગચાળાનું જોખમ વધ્યું છે. છેલ્લા છ મહિનાથી ઉભરાતી ગટરે હવે સ્થાનિક રહીશોનું જીવવું હરામ કરી દીધું છે. જેમાં હવે તો છેલ્લા કેટલાક સમયથી શેરીમાં ઉભરાતી ગટરનું કદ એટલું બધું વધી ગયું છે કે ગટરના દૂષિત પાણી લોકોના ઘરમાં ઘુસી ગયા છે. તેથી રોગચાળો વકરવાની ભારે દહેશત વર્તાય રહી છે.
ગટર પ્રશ્ને સ્થાનિક લોકોએ અનેક રજુઆત કરી હોવા છતાં તંત્રના પેટનું પાણી હલ્યું નથી. બીજી બાજુ ગટર ઉભરાતી હોવાથી પરિસ્થિતિ નાજુક બની ગઈ છે. લોકોના ઘરમાં ગટરના પાણી ઘુસી ગયા હોવાથી નાના બાળકોમાં રોગચાળો ફેલાય રહ્યો છે. આથી આજે લોકો રજુઆત કરવા નગરપાલિકાએ દોડી ગયા હતા. પણ જવાબદાર ચીફ ઓફિસર કે પાલિકા પ્રમુખ હાજર ન હોવાથી લોકો રોષે ભરાયા હતા અને ચીફ ઓફિસર તેમજ પાલિકા પ્રમુખના નામના હાય-હાયના નારા લગાવ્યા હતા. તેમજ જો ત્રણ દિવસમાં ગટરની સમસ્યાનું કાયમી નિરાકરણ નહિ આવે તો નગરપાલિકાને તાળાબંધી કરવાની ચીમકી આપી છે
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...