મોરબી: મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ એન્ટીક સીરામીક નજીક રોડ ઉપર સિએનજી રીક્ષા આડું કુતરું ઉતરતા કુતરા સાથે અથડાતા રીક્ષા પલ્ટી મારી જતા બે બાળકો સહિત પાંચ લોકોને ઈજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ એન્ટીક સીરામીક નજીક રોડ ઉપર સિએનજી રીક્ષા આડું કુતરું ઉતરતા કુતરા સાથે અથડાતા રીક્ષા પલ્ટી મારી ગઈ હતી. તેમજ રીક્ષામાં પરપ્રાંતીય મંજુર સવાર હોવાનું જાણવા મળી રહ્યું છે. અને પરપ્રાંતીય મંજુર મુળ મધ્યપ્રદેશના વતની હોય અને કારખાને કામ જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બે બાળકો સહિત પાંચ લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ દ્વારા મોરબી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...