મોરબી : ન્યુઝ ઓનલાઈન અને નમસ્કાર ગુજરાત દૈનિક દ્વારા જુદી જુદી સંસ્થાઓમાં અને જુદા જુદા ક્ષેત્રોમાં સારી કામગીરી કરનાર પાટીદાર રત્નોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પાટીદાર રત્ન સન્માન સમારોહ સ્વામી નારાયણ વિદ્યાધામ, હાથીજણ, અમદાવાદ ખાતે યોજાયો હતો જેમાં પાટીદાર સમાજની તેજસ્વી પ્રતિભાનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીનાં ફીલ્મ કલાકાર કિશન ફુલતરીયાનું કલાકાર તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. કિશનભાઈના શોર્ટ ફીલ્મ યુટયુબમાં ચાલી રહ્યા છે અને તે નિર્માતા ધનશ્યામસિંહ ઝાલાની સાથે ફીલ્મ પ્રેમ સગાઈમાં પણ મહત્વનો રોલ ભજવી ચુક્યા છે ત્યારે કિશન કુલતરીયાનું સન્માન કરવામાં આવતા હિમસન આર્ટિસ્ટ ફેડરેશનના પ્રમુખ લાલજીભાઈ મહેતા અને મંત્રી રામભાઈ મહેતાએ તેઓને શુભેચ્છાઓ પાઠવી છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...