મોરબી : કોઈપણ અધિકારીઓની નિમણુંક પ્રજાની સમસ્યાઓના નિરાકરણ માટે થતી હોય છે અને આમ જનતા પણ પોતાની સમસ્યાઓને લઈને અધિકારીઓને અનેક રજૂઆતો કરતી હોય છે ત્યારે અધિકારીઓ પણ પ્રજાના પ્રશ્નોની ગંભીરતા પારખી તેમાં અંગત રસ લઈને સમસ્યાનો હલ કરતા હોય છે. આવો જ એક બનાવ મોરબીમાં પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબીના વાવડી રોડ પર આવેલ સોસાયટીઓમાં પાણીની વિકટ સમસ્યા હતી જે અંગે સ્થાનિકોએ નગરપાલિકામાં રજૂઆત કરતા ચીફ ઓફિસરે અંગત રસ લઈને પાણીનો પ્રશ્ન હલ કર્યો હતો.
મોરબીના વાવડી રોડ પર આવેલ ભક્તિનગર સોસાયટી, મારુતિનગર સોસાયટી, વાટિકા સોસાયટી, સંત કબીરનગર સહિતની સોસાયટીઓમાં ભરઉનાળે પાણીની વિકટ સમસ્યા સર્જાય હતી જેથી સ્થાનિકોએ નગરપાલિકા તેમજ કલેકટર કચેરીએ દોડી જઈને ઉગ્ર રજુઆત કરી હતી જેથી નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના તંત્રએ આ સોસાયટીઓના પાણી પ્રશ્નનો ટૂંકા સમયમાં હલ કરતા સોસાયટીના રહેવાસીઓ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરનું હારતોરા કરીને સન્માન કરાયું હતું અને પાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...