મોરબી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી શહેરના ખારી વિસ્તારની બેઠક જિલ્લા ચુવાળીયા ઠાકોર સમાજની બોડીંગ ખાતે યોજાઈ હતી જેમાં ખારી વિસ્તારની સમિતીની રચના કરવામાં આવી હતી.
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ટીમ દ્વારા મોરબી શહેરના ખારી વિસ્તારની સંગઠન મિટિંગ યોજાઇ હતી. જેમાં ખારી વિસ્તારની સમિતીની રચના કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે ભરતભાઈ પીપળીયા, ઉપપ્રમુખ તરીકે પ્રવીણભાઈ કારુ, ઉપપ્રમુખ કિશનભાઈ સુરેલા, સંગઠન મંત્રી દશરથભાઈ વરાણીયાની નિમણુંક કરવામાં આવી હતી તથા સંગઠન મજબૂત કરવા યુવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમાજને સંગઠીત અને શિક્ષણ તરફ કઈ રીતે આગળ લઈ જવો તે પણ ચર્ચા કરવામાં આવી હતી. આવનારા સમયમાં મોરબી શહેરના તમામ વિસ્તારમાં સંગઠનની મીટીંગ યોજી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું સંગઠન મુજબુત કરવામા આવશે
કાર્યક્રમમાં જિલ્લા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના યોગેશજી ઠાકોર, મયુર બાબરીયા, મોરબી તાલુકા પ્રમુખ જયદીપજી ઠાકોર, મોરબી શહેર પ્રમુખ જે.બી. ઠાકોર, મોરબી શહેર સંગઠન મંત્રી કિશન કારૂ, મોરબી શહેર મહામંત્રી રણજીત ચાવડા તથા ખારી વિસ્તાર સમિતિના ઠાકોર સેનાના કાર્યકર્તાઓ મોટી સંખયામાં હજાર રહ્યા હતા
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...