મોરબી : મોરબી ખાતે સમસ્ત પાટીદાર સમાજ અને ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા માનવ મંદિરના લાભાર્થે સંસાર રામાયણ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં વક્તા તરીકે સતશ્રી (સંસ્કૃતાચાર્ય) બીરાજીને કથાનું રસપાન કરાવશે.
ટંકારાના લજાઈ ગામ નજીક નિર્માણાધીન માનવ મંદિરના લાભાર્થે સમસ્ત પાટીદાર સમાજ મોરબી અને ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સંસાર રામાયણ જ્ઞાનયજ્ઞનું તા. 21 મે થી 31 મે સુધી રામેશ્વર ફાર્મ, રવાપર-ઘુનડા રોડ, મોરબી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાનો સમય રાત્રે 8:30 થી 11:30 છે. આ સંસાર રામાયણ જ્ઞાનયજ્ઞમાં શિવ વિવાહ, રામ જન્મોત્સવ, શ્રવણ યાત્રા, સીતારામ વિવાહ, કેવટ પ્રસંગ, ભરત મિલાપ, શબરી પ્રસંગ, રામેશ્વર પૂજન અને રામ રાજ્યભિષેક સહિતના પ્રસંગોની ભાવભેર ઉજવણી કરવામાં આવશે.
સમાજના પુત્ર વિહોણા, આર્થિક નબળા, નિરાધાર-અશક્ત વૃદ્ધ વડીલો માટે ટંકારા તાલુકાના લજાઈ ગામે, ભીમનાથ મહાદેવ મંદિર સામે અદ્યતન સુવિધાયુક્ત “માનવ મંદિર” (અનાથાશ્રમ) નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આશરે રૂ.12 કરોડના આ માનવ મંદિર પ્રોજેક્ટમાં હાલ રૂ.10 કરોડનું કામ પૂર્ણ થઈ ગયું છે.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...