તા. ૨૮ અને ૨૯ ના રોજ ઓલ ઇન્ડિયા પોસ્ટ એમ્પ્લોયઝ યુનિયન દિલ્હીના આદેશ મુજબ દેશ વ્યાપી હડતાલનું એલાન કરાયું છે જેમાં મોરબી જીલ્લાની તમામ પોસ્ટ ઓફીસના કર્મચારીઓ હડતાલમાં જોડાશે
આગામી સોમવાર અને મંગળવારે 28 અને 29 માર્ચ બે દિવસ પોસ્ટ ઓફિસ કર્મચારીઓના યુનીયન દિલ્હીના આદેશ મુજબ દેશવ્યાપી હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાની તમામ પોસ્ટ ઓફિસનાં કર્મચારીઓ હડતાળમાં જોડાશે. આ કર્મચારીઓની પડતર માંગણીઓ જેવી કે જુની પેન્શન યોજના લાગુ કરે 18 મહિનાનું એરીયર્સ બાકી છે તે આપે તેમજ ફીનાકલ સર્વરનો પ્રોબ્લેમ દુર કરે જીડીએસ માટે કમલેશ ચંદ્ર કમીટીના રીપોર્ટ મુજબની માંગણીઓ સ્વીકારે નહિ તો આગામી બે દિવસ પુરા ભારતના પોસ્ટ કર્મચારી ઓ હડતાલ ઉપર જશે. ત્યારે મોરબી એમડીજી સહિતની તમામ એસ.ઓ.અને ગામડાની બી.ઓ.ના તમામ કર્મચારીઓઆ હડતાળમાં જોડાશે. જે અંતર્ગત સોમવારે સવારે ૦૮ : ૩૦ કલાકે મેઈન પોસ્ટ ઓફીસ ખાતે ધરણા અને સુત્રોચ્ચાર કરવામાં આવશે તેમ પ્રમુખ પ્રભાતભાઈ ડાંગરની યાદીમાં જણાવ્યું છે
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...