મોરબી : મોરબી જિલ્લામાં કોરોના ની રફતાર એકદમ ધીમી પડતાં આરોગ્ય વિભાગે હાસકારો લેતાં મોરબી જિલ્લો કોરોના મુક્ત થાય તેવા સંકેતો આપ્યા હતા કારણકે જિલ્લામાં આજે એક જ એક્ટિવ કેસ રહ્યો છે. આ દર્દી પણ આવતીકાલે રિકવર થવાના છે.
મોરબી જિલ્લામાં છેલ્લા થોડા દિવસથી એક પણ નવો કેસ નોંધાયો નથી. સામે દર્દીઓ રિકવર થઈ રહ્યા હતા.આવી જ રીતે આજે પણ આરોગ્ય વિભાગે 517 લોકોના સેમ્પલ લીધા હતા. જેમાંથી એકેય કેસ સામે આવ્યો નથી. જો કે 2 દર્દીઓ આજે રિકવર થતા હવે એક્ટિવ કેસ માત્ર એક જ રહ્યો છે.
વધુમાં આરોગ્ય વિભાગમાંથી જાણવા મળ્યા મુજબ હાલ જે કોરોનાનો દર્દી છે. તે પણ આવતીકાલે બુધવારે રિકવર થવાના છે. એટલે હવે જો આવતીકાલે બુધવારે જો કોઈ નવો કેસ ન આવે તો મોરબી જિલ્લો આવતીકાલે કોરોના મુક્ત જાહેર થશે.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...