મોરબી : મોરબી જિલ્લામાં કોરોના ની રફતાર એકદમ ધીમી પડતાં આરોગ્ય વિભાગે હાસકારો લેતાં મોરબી જિલ્લો કોરોના મુક્ત થાય તેવા સંકેતો આપ્યા હતા કારણકે જિલ્લામાં આજે એક જ એક્ટિવ કેસ રહ્યો છે. આ દર્દી પણ આવતીકાલે રિકવર થવાના છે.
મોરબી જિલ્લામાં છેલ્લા થોડા દિવસથી એક પણ નવો કેસ નોંધાયો નથી. સામે દર્દીઓ રિકવર થઈ રહ્યા હતા.આવી જ રીતે આજે પણ આરોગ્ય વિભાગે 517 લોકોના સેમ્પલ લીધા હતા. જેમાંથી એકેય કેસ સામે આવ્યો નથી. જો કે 2 દર્દીઓ આજે રિકવર થતા હવે એક્ટિવ કેસ માત્ર એક જ રહ્યો છે.
વધુમાં આરોગ્ય વિભાગમાંથી જાણવા મળ્યા મુજબ હાલ જે કોરોનાનો દર્દી છે. તે પણ આવતીકાલે બુધવારે રિકવર થવાના છે. એટલે હવે જો આવતીકાલે બુધવારે જો કોઈ નવો કેસ ન આવે તો મોરબી જિલ્લો આવતીકાલે કોરોના મુક્ત જાહેર થશે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...