મોરબી નાં જુના બસ સ્ટેન્ડ મા લોકો નાં ખીસ્સા કાપવાના અને કિંમતી માલસામાન ની ચોરી થવાના કિસ્સા ઓ અવારનવાર સામે આવે છે ત્યારે વધુ એક લાખો રૂપિયા નાં મુદામાલ ની ચોરી થયા ની પોલીસ ફરીયાદ નોંધાયેલ છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ કેશોદના રહેવાસી હેમીબેન કરશનભાઈ ચાવડાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ મોરબી તેના ભાઈ નટુભાઈના ઘરે દીકરીના લગ્ન હોવાથી આવ્યા હતા જેથી લગ્નમાં પહેરવા સોનાના દાગીના સાથે લાવ્યા હતા જે લગ્ન પતાવીને તેઓ તા. ૨૩-૦૨ ના રોજ કેશોદ જવા મોરબીના જુના બસ સ્ટેન્ડ આવ્યા હતા અને મોરબી-રાજકોટ એસટી બસમાં ચડતી વેળાએ તેના ખભે રાખેલ પર્સમાં રહેલા સોનાના દાગીના જેમાં સોનાનો હાર ત્રણ તોલા કીમત રૂ ૭૫,૦૦૦ સોનાની વીંટી એક તોલા કીમત રૂ ૨૫,૦૦૦, સોનાનું લોકેટ સાડા ત્રણ તોલા કીમત રૂ ૭૫,૦૦૦ અને ૧૫૦૦ રોકડ સહીત ૧,૭૬,૫૦૦ ની મત્તા ચોરી થઇ હતી.
બસમાં ચડ્યા બાદ મહિલાએ પર્સ ચેક કરતા તેને જાણ થઇ હતી અને લજાઈ ચોકડી પાસે બસ ઉભી રખાવી બાદમાં પોલીસને ફરીયાદ કરી હતી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી રહી છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...