સરકારી કચેરીમાં સરકારી બાબુઓ ને મફતના પગારની ટેવ પડી ગઈ હોય તેવું અમુક સરકારી કર્મચારીઓને વર્તન પર થી લાગી રહ્યું છે મામલતદાર અને તલાટી વચ્ચે અરજદારો ને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો
મોરબીમાં મામલતદાર કચેરીમાં તલાટી ઓફિસે જનાર દરેક અરજદારોને આજે ધરમનો ધક્કો થયો હોય તેવા ઘાટ ઘડાયા છે. જ્યાં વારસાઈ નોંધ કરાવવા આવેલા અરજદારો તમામ દસ્તાવેજો સાથે તલાટી મંત્રીની ઓફિસમાં પહોંચી ગયા હતા. ઓફિસ બહાર સવારે 10:30 વાગ્યાના સુમારે અરજદારોએ આવવાની સૂચના લખવામાં આવી હતી પરંતુ તલાટીની ઓફિસની બહાર તાળું વાસેલું હતું. એટલું જ નહીં કલાક વિતવા છતાં પણ ખુદ તલાટી જ આવ્યા ન હતા ત્યારે અરજદારોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી શહેર, માધાપર અને વજેપરમાં આવેલા વિસ્તારોમાં અશાંત ધારા અંગેની અરજીઓની સ્થળ ચકાસણીનું કામ ચાલુ હોય તે માટે તલાટી કચેરીમાં દાખલા વેરિફિકેશન તથા વારસાઈ આંબાની કામગીરી માટે લોકોને આનુષંગીક કામગીરી કરવા માટે તલાટીની ઓફિસમાં જવાનું હોય છે. હાલ ઓફિસની બહાર એવી નોંધ પણ લગાવવામાં આવી છે કે સવારે 10:30 થી બપોરે 02:00 કલાક વાગ્યા સુધી આ કામગીરી કરવામાં આવશે. જેને પગલે મોરબી વાસીઓ પોતાની આનુષંગીક કામગીરી પૂર્ણ કરવા માટે કચેરીએ પહોંચી ગયા હતા પરંતુ ઓફિસની બહાર તો તાળું મારેલું હતું. ખુદ તલાટી ત્યાં હજાર ન હતા. એટલું જ નહીં કોઈ અધિકારી પણ આ બાબતે ત્યાં જવાબ દેવા માટે તૈયાર ન હતા.
આ બાબતે મોરબી સિટી મામલતદાર સાંચલાનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે આ કામગીરી જે અધિકારીએ કરવાની હતી તેઓ હાલ રજા પર છે. જેથી તેમના સ્થાને અન્ય કર્મચારીને આ કામગીરી સોંપવામાં આવી છે. એ કર્મચારી સ્થળ પર મોડો પહોંચ્યું હોવાનું ધ્યાને આવ્યું છે જેથી સુચના આપવામાં આવી છે અને અરજદારોનું કામ તાત્કાલિક કરી આપવામાં આવશે તેમ ઉમેર્યું હતું
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...