મોરબી:- દર વર્ષની જેમ આ વર્ષ પણ હજરત બાવા અહેમદશાહ ગ્રુપ દ્વારા ૨૩ ( ત્રેવીસ) માં સમૂહ લગ્ન અંગ્રેજી તારીખ ૨૮/૦૫/૨૦૨૩ ને રવિવારના રોજ આયોજન કરેલ છે તો જે હિંદુ મુસ્લિમ સમાજના લોકોએ આ સમૂહ લગ્નમાં જોડાવું હોય તેમણે નીચે આપેલ સરનામે તરત પોતાનું નામ નોંધાવી લેવા બાવા અહેમદશાહ ગ્રુપ ની એક અખબાર યાદી માં જણાવવામાં આવે છે.
જેના માટે (૧) ઈકબાલભાઈ રાઠોડ મો-૭૯૯૦૪ ૮૯૬૦૦ રહે હાજી અહેમદ હુશેન બાપુ ની ઓફીસ સીપાઈવાસ સીદીકી મસ્જીદ પાસે મોરબી (૨) મહેશભાઈ મો-૯૮૭૯૩૧૦૫૯૫ રહે હોટલ ડિલક્સ,કે,બી,બેકરી ની બાજુમાં નહેરૂ ગેઈટ પાસે મોરબી, (૩) બીમલભાઈ મો-૮૦૦૦૦ ૦૦૧૮૧ રહે એર વોઇસ, ગ્રીનચોક મોરબી . (૪) બચુભાઈ ચાનીયા મો.૯૮૨૫૬ ૪૫૮૪૪ રહે. ચાનીયા ઓટો ગેરેજ, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી. (૫) મનસુરી હુશેન મામદભાઈ મો.૯૭૨૭૧ ૦૪૫૬૧ રહે. હાજી અહેમદ હુશેન બાપુ ની ઓફીસ, સીપાઈવાસ મોરબી. મળવા આવવાનો સમય બપોરે ૨ વાગ્યા થી રાત્રી ના ૮ વાગ્યા સુધી રહેશે
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...