મોરબી આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો
તાજેતરમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા મળે જેમાં આમ આદમી પાર્ટીના સદસ્ય દ્વારા પ્રજા હિત લક્ષી ના મુદ્દા ઉપર ચર્ચા કરવાની માંગ કરતા ચર્ચા કર્યા વગર ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા સામાન્ય સભાને પૂર્ણ કરી દીધેલ જેનો આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો વિરોધ કરેલ અને સભાખંડમાં જ ધારણા પર બેસી ગયેલ. સભાખંડમાં એક રાત વિતાવ્યા બાદ સવારે કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા આમ આદમી પાર્ટીના તમામ સદસ્યોને બળજબરીપૂર્વક પોલીસનો ઉપયોગ કરી સભાખંડમાં થી બહાર કાઢવામાં આવ્યા જે દરમિયાન અનેક કોર્પોરેટરો ને ઇજાઓ પહોંચી તેમજ મહિલા કોર્પોરેટરના કપડાં ફાડી લોકશાહીનું ખુલ્લેઆમ ચીર હરણ કરવામાં આવ્યું જે ઘટના તમે આવતા સમગ્ર ગુજરાતમાં પડદો પડી ગયો આબાદ આમ આદમી પાર્ટી દ્વારા આ સમગ્ર મામલે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા જેના ભાગરૂપે આજરોજ આમ આદમી પાર્ટી મોરબી દ્વારા ગાંધી ચોક વિસ્તારમાં કાર્યકરો એકઠા થઇ વિરોધ દર્શાવ્યો અને લોકશાહી બચાવો ના નારા લગાવ્યા…
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...