મોરબી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા નવયુગ સંકુલ ખાતે પૂર્ણ દિવસના અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં અભ્યાસ વર્ગનું મહત્વ,કાર્યકરોની મનોભૂમિકા સંગઠનની કાર્ય પદ્ધતિ,પ્રચાર-પ્રસાર સંઘ વિચાર,પરિવાર અને આર્થિક સૂચિતાની નવી શિક્ષણનીતિ શિક્ષણના પડકારો,હોદેદારોની જવાબદારી,સંગઠનના કાર્યકર્તાઓની અધિકારીઓ સાથેનો સરકાર સાથેનો વ્યવહાર વગેરે વિષયો પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એટલે રાષ્ટ્ર કે હિતમે શિક્ષા.શિક્ષા કે હિતમે શિક્ષક.શિક્ષક કે હિતમે સમાજના ધ્યેય સૂત્ર સાથે શિસ્તબધ રીતે કાર્ય કરતું સંગઠન છે, સંગઠનમાં કાર્યરત કાર્યકરો,મંડળ સંયોજકોએ કેવી રીતે કાર્ય કરવું? એ માટે નવયુગ શૈક્ષણિક સંકુલ વિરપર મોરબી ખાતે આગામી તા.14ને સોમવારના રોજ પૂર્ણ દિવસના અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં અભ્યાસ વર્ગનું મહત્વ,કાર્યકરોની મનોભૂમિકા,સંગઠનની કાર્ય પદ્ધતિ,પ્રચાર-પ્રસાર સંઘ વિચાર,પરિવાર અને આર્થિક સૂચિતાની નવી શિક્ષણનીતિ,શિક્ષણના પડકારો,હોદેદારોની જવાબદારી,સંગઠનના કાર્યકર્તાઓની અધિકારીઓ સાથેનો સરકાર સાથેનો વ્યવહાર વગેરે વિષયો પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
આ તમામ વિષયો પર ડો.જયંતીભાઈ ભાડેસિયા,કાર્યવાહક ગુજરાત પ્રાંત બી.એમ.સોલંકી,મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રતુભાઈ ગોળ,રાજ્યમંત્રી મહાસંઘ મુળજીભાઈ ગઢવી,કચ્છ મહાસંઘ મહેશભાઈ મોરી અને હિતેશભાઈ ગોપાણી,સંગઠન મંત્રી સૌરાષ્ટ્ર પ્રાંત સુનિલભાઈ પરમાર શિશુમંદિર વિપુલભાઈ અધારા,કાર્યવાહક રાજકોટ સંભાગ મહેશભાઈ બોપલીયા,કાર્યવાહક મોરબી જિલ્લો દિનેશભાઈ વડસોલા,અધ્યક્ષ મહાસંઘ-મોરબી વગેરે ઉપરોક્ત વિષયો પર સમગ્ર મોરબી જિલ્લામાંથી સૌથી વધુ કાર્યકર્તાઓને સમગ્ર દિવસ દરમ્યાન માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.એમ કિરણભાઈ કાચરોલા,મંત્રી પ્રદીપભાઈ કુવાડિયા,સી.ઉપાધ્યક્ષ હરદેવભાઈ કાનગડ તથા કિરીટભાઈ દેકાવડીયા ઉપાધ્યક્ષ અને હિતેશભાઈ પાંચોટીયા પ્રચાર મંત્રીની યાદીમાં જણાવવામાં આવે છે.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...