અવની ચોકડી પાસેથી મળી આવેલ રકમ મુળ માલીક ને પરત કરી પ્રમાણિકતા દાખવી

મોરબી : પ્રમાણિકતા ની મહેક પ્રસરાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે મોરબીના કેનાલ રોડ પર આવેલ અવની ચોકડી પાસેથી 2 દિવસ પહેલા રૂપિયા ભરેલી થેલી એક યુવાનને મળી હતી. રૂપિયા જોઈ જરા પણ લલચાયા વગર આ રૂપિયા મૂળ માલિકને પરત કરવા સોશ્યલ મીડિયા મારફત એક પોસ્ટ મૂકી હતી. જેમાં તેના મૂળ માલિકનો સંપર્ક થતા ખરાઈ કરી તેને પરત કર્યા હતા.
મોરબીના દવાના વેપારી નીતિનભાઈ પટેલ કેનાલ રોડ પર અવની ચોકડી પાસેથી પસાર થતા તેને એક 28,450 રૂપિયા ભરેલુ ઝબલુ મળ્યું હતું . આથી તેમણે સામાજિક કાર્યકર સતિષભાઈ કાનાબારની મદદથી સોશ્યલ મીડિયામાં જેના રૂપિયા હોય તે ખરાઈ કરી મેળવી લેવા મેસેજ કર્યો હતો. જેથી, દૂધનો વેપાર કરતા કુંડારિયાના આ રૂપિયા હતા. અને તેની ખરાઈ કરી આજે તેમને પરત કરી પ્રમાણિકતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img