મોરબી ની સીરામીક ફેક્ટરીઓમા બાળ મજુરો પાસે મંજુરી કરાવવામાં આવતી હોવાની માહિતી મુજબ અમદાવાદ ની બચપન બચાવો સંસ્થાએ મોરબી ચાઈલ્ડ લાઈન ની ટીમ નેં સાથે રાખી માંડલ પાસે આવેલ એક સીરામીક ફેક્ટરી માં દરોડા પાડી 20 જેટલા બાળશ્રમીકો નેં મુક્ત કરાવ્યા હોવા નું જાણવા મળ્યું છે વધુ મળતી માહિતી મુજબ
મોરબીના સિરામિક ઝોન તેમજ અલગ અલગ ફેકટરીમાં 18 વર્ષથી નાની ઉમરના બાળકોને હેવી મશીનરીમા કામ કરાવતા હોવાની તેમજ 14 વર્ષથી નાની ઉમરના બાળકોને પણ પ્રતિબંધિત કામ પર રાખવામાં આવતા હોવાની આનેક ફરિયાદ ઉઠતી હોય છે. મોરબીમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ તેમજ શ્રમ વિભાગ આ બાબતે આંખ આડા કાન કરતું હોય છે જેના કારણે આવી પ્રવૃત્તિને પ્રોત્સાહન મળતું હોય છે.જોકે અલગ અલગ એનજીઓ આ પ્રકારની બાળ મજુરી અટકાવવા સર્કીય જોવા મળતા હોય છે અને સમયાન્તરે અલગ અલગ ફેકટરીમાંથી અ રીતે બંધુવા મજદૂર જેવી મજૂરરી કરતા બાળકોને છોડાવવામાં આવે છે.ત્યારે આજે હળવદ રોડ પર આવેલ નીચી માંડલ ગામ પાસે ધમધમતી રામેસ્ટ ગ્રેનેટો નામની સિરામિક ફેક્ટરીમાં મોટા પાયે બાળ મજૂરો કામ કરતા હોવાની બાતમી આધારે બચપન બચાઓ નામની દિલ્હીની એક એનજીઓ ઉપરાંત ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ , ફ્રેન્ડસ ફોર વુમેન એન્ડ ચાઈલ્ડ સહિત અલગ અલગ એનજીઓની ટીમે તાલુકા પોલીસ તેમજ મોરબી ચાઈલ્ડ લાઇન મોરબી સહિતની અલગ અલગ ટીમ દ્વારા બપોરના સમયે આવી પહોચી હતી અને ફેકટરીના અલગ અલગ વિભાગમાં મજુરી કરતા અલગ અલગ રાજ્યના 20થી વધુ બાળ મજુરોને છોડાવ્યા હતા આ ઉપરાંત ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રહીને અને નાઈટ શિફ્ટ કરતા બાળકો પણ મળી આવ્યા હતા આ તમામ બાળકોને રેસ્ક્યુ કરી મોરબી તાલુકા પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા હતા
પકડાયેલ બાળકો યુપી બિહાર અને ઝારખંડ આસપાસના હોવાનું સામે આવ્યું
એનજીઓ દ્વારા પકડાયેલા બાળકો સ્થાનિક મજુર ન હોય પણ યુપી,બિહાર ઝારખંડ,ઓડીસા તેમજ યુપીના હોવાનું અને અહી એક 12થી 17 વર્ષના છે અને આ બાળકોએ તેના માતા પિતા વિના આવ્યા છે. જેમાં 2થી 3 છોકરીઓ પણ હોવાનું સામે આવ્યું છે મજુરી માટે લાવવામાં આવેલ બાળકો અહી કેવી રીતે આવ્યા અને કેટલા સમયથી રહે છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે
આજે 1 સપ્ટેમ્બરથી દેશભરમાં અનેક મહત્વના ફેરફારો અમલમાં આવ્યા છે. આ ફેરફારો સીધી રીતે સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. LPG સિલિન્ડરના ભાવથી લઈને કારની કિંમત, આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, દૂધ અને ઓટો-ટેક્સીના ભાડા સહિત ટેક્સ અને રોકાણ સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થયો છે. ત્યારે...
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...