મોરબી : મોરબી નાં અગ્રણી ઉદ્યોગપતિ અને સમાજ ની અનેક સંસ્થાઓ માં પોતાની તન મન ધન થી સેવા આપનાર અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદભાઈ વરમોરા નાં હસ્તે અંબાજી ખાતે આયોજિત દેવી ભાગવત પુરાણ કથા દરમ્યાન ઉમિયા માતાના ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું.
મળતી વિગતો મુજબ બનાસકાંઠા જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે સંત ભાણદેવજીના વ્યાસપીઠ સ્થાને દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથા દરમિયાન ભગવતી શ્રી ઉમિયા માતાજી, હનુમાનચાલીસા અને શ્રી મંગલ રામકથા એમ ત્રણ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું.
જેમાં ભગવતી શ્રી ઉમિયા માતાજીના પુસ્તકનું વિમોચન મોરબી સ્થિત સન હાર્ટ ગ્રુપના સ્થાપક, લક્ષચંડી યજ્ઞના મુખ્ય યજમાન તથા ઊંઝાના ઉમિયા મંદિરના ટ્રસ્ટી ગોવિંદભાઈ વરમોરાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે ઊંઝાના ઉમિયા મંદિરના વરિષ્ઠ આગેવાન મણીબાપા સહિતના હોદેદારો, દાતા બાબુભાઈ સહિતના અગ્રણીઓ અને બહોળા શ્રોતાવર્ગની ઉપસ્થિત રહ્યો હતો.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...