પંજાબ વિજય થવાની ખુશીમાં મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રા નું આયોજન કરવામા આવ્યું છે.
તેમા દિલ્હી ના ધારાસભ્ય શ્રી નરેશભાઈ યાદવ તેમજ ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખશ્રી પ્રવીણભાઈ રામ તેમજ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ તેમજ મોરબી જિલ્લા પ્રભારી શિવાજીભાઈ ડાંગર તેમજ જિલ્લા ટીમ ના તમામ પદાધીકારી યો દ્વારા તિરંગા યાત્રા નું આયોજન કરેલ છે. જેમા મોરબી જિલ્લાની જનતા ને આ તીરંગા યાત્રામાં જોડાવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે
યાત્રા રૂટ – ભક્તિનગર સર્કલ, ઉમીયા સર્કલ, રવાપર ચોકડી, બાપા સીતારામ ચોક, નવા બસસ્ટેન્ડ, ગાંધી ચોક, વિજય ટોકીઝ, વિસીફાટક રહેશે તેવું મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ વસંતભાઈ ગોરીયા દ્વારા જણાવવામાં આવ્યુ છે
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...