ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીના થોડાક જ મહિનાઓ બાકી છે ત્યારે વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસે તેમની ગતિવિધિ તેજ કરી દીધી છે.
રાજ્યમાં પ્રદેશ કોંગ્રેસના નવા 25 ઉપ પ્રમુખ, 75 જનરલ સેક્રેટરી અને 19 શહેર/ જિલ્લા પ્રમુખની વરણી કરવામાં આવી છે. આ બધા નેતાઓ જમીની સ્તરે જઈ કોંગ્રેસને મજબૂત કરશે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંત સુધીમાં યોજાઈ શકે છે. જેને લઈ ભાજપ-કોંગ્રેસ સહિતની પાર્ટીઓ પૂરી તૈયારીમાં લાગી ગઈ છે. ઉપરાંત કોંગ્રેસને તાજેતરમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર મળી છે. જેથી કોંગ્રેસ માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગ્નીપરીક્ષા સામેલ થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માગશે. જેને લઈ પ્રદેશ કોંગ્રેસનું જમ્બો માળખુ જાહેર થયું છે.
મોરબી : દેવર્ષિ નારદ જયંતિ નિમિતે વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા પત્રકાર મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
દેવર્ષિ નારદ જયંતિ નિમિતે વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા આગામી તા.૨૪ને શુક્રવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે શિશુમંદિર શકત શનાળા મોરબી - રાજકોટ મોરબી ખાતે પત્રકાર મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં વક્તા...
મોરબી: મોરબીના ખાખરેચી નિવાસી લીલાબેન ધનજીભાઈ સંતોકીનુ તા. ૨૦-૦૫-૨૦૨૪ ના રોજ સોમવારે દુઃખદ અવસાન થયેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.
સદૂગતનું બેસણું :તારીખ :- ૨૪-૦૫-૨૦ર૪ શુક્રવાર સમય :- સાંજે ૪-૦૦ થી ૬-૦૦ કલાકે સ્થળ :- વૃંદાવન સમાજવાડી- ઘૂંટુ (જુનુ ગામના જાપે) ખાતે રાખેલ છે
...
મોરબી: મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથ ના માધ્યમથી મોરબી સિવિલ હોસ્પીટલ માં ૪૦ જેટલી પ્રસુતા માતાઓને ચોખ્ખા ઘી નો શીરો અર્પણ કરવામાં આવ્યો.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં...