હોમ હવન ધ્વજારોહણ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ફાગણ સુદ બીજ એટલે રાજલ બીજ અને માં આઈ રાજબાઇ નું પ્રાગટ્ય પર્વ જેની ભવ્ય ઉજવણી ચરાડવા અને સાપર ગામે ભક્તિ ભાવથી કરવામાં આવી હતી.
માં આઈ રાજબાઇ નાં પ્રાગટ્ય ની વાત કરીએ તો સંવત ૧૬૩૪ ફાગણ સુદ બીજ નાં દિવસે ચરાડવા મા ઉદા ચારણ ના ઘેર માં આઈ રાજબાઇ એ જ્ન્મ લિધો તેમનું પ્રાગટ્ય થયું હતું અને માત્ર નવ વર્ષની ઉંમરે માતાજી એ પરચો આપ્યો તે જગ વિખ્યાત છે બાદ મા દિન દુઃખીયો ના દુઃખો હરતાં હરતાં માં આઈ રાજબાઇ એનેક પરચા ઓ આપતાં માં આઈ રાજબાઇ જંગદબા તરીકે જાહેર થયાં અને ઘણા પરિવારો માં કુળ નાં કુળદેવી તરીકે પૂજાય છે જે માં આઈ રાજબાઇ ના પ્રાગટ્ય દિવસ નો બે દિવસ નો મહોત્સવ ઉજવાયો જેમાં ક્ચ્છ અમદાવાદ સુરેન્દ્રનગર વઢવાણ પાટડી ધ્રાંગધ્રા અને મોરબી થીં માં આઈ રાજબાઇ નાં ભક્તો અને સેવકો પદયાત્રા કરી તો કોઈ વાહન મારફતે ચરાડવા ગામે પોહચી ગયા હતા જ્યાં માં ના સાંનિધ્યમાં હોમ હવન અને સાંજે ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું જ્યારે સાપર ગામે દરબાર ગઢ મા બેઠેલા માં આઈ રાજબાઇ નો પ્રાગટ્ય દિવસ ની ઉજવણી મા સાપર ગામના ક્ષત્રિય પરિવાર નાં યુવાન દંપતી ઓ હવન મા બેસી ને ખુબજ શ્રધ્ધા ભાવથી માં આઈ રાજબાઇ નું પુજન અર્ચન કરીને આશિર્વાદ લિધા હતાં ત્યારે આજે માતાજી નાં પ્રાગટ્ય દિન નિમિત્તે માતાજી ના યજ્ઞમાં સાપર ગામના વડીલો માતા ઓ બહેનો બાળકો સહિત સહુ કોઈ એ માં આઈ રાજબાઇ નાં મંદિરે થ ઇ રહેલા યજ્ઞમાં હાજરી આપી હતી એકંદરે માં આઈ રાજબાઇ નાં ભક્તો એ માના પ્રાગટ્ય દિવસ ની ભક્તિ ભાવથી અને ધામધૂમથી ઉજવણી કરી હતી.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...