મોરબી: મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત તથા જમીનના બોગસ દસ્તાવેજ બનાવવાના ગુનામાં પાંચેક માસથી નાસતા ફરતા આરોપીને સુરત ખાતેથી પેરોલ ફર્લો સ્કવોડ /મોરબી એલસીબીએ ઝડપી પાડયો છે.
પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગે સમગ્ર રાજયમાં ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ હોય જે અન્વયે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક નાઓએ મોરબી જીલ્લાના ગુનાઓમાં સંડલોવાયેલ વધુમાં વધુનાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય
તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ હેડ કોન્સ્ટેબલને ખાનગી રાહે બાતમી મળેલ કે, મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત તથા જમીનના બોગસ દસ્તાવેજ બનાવવાના ગુનામાં નાસતો ફરતો આરોપી વિનોદભાઇ તળશીભાઇ અઘારા રહે. મોરબી રવાપર વાળો સુરત ખાતે છે જે ચોક્કસ હકિકત આધારે એલ.સી.બી./પેરોલ-ફર્લો સ્ટાફની ટીમ બનાવી સુરત ખાતે તપાસ કરતા આરોપી વિનોદભાઇ તળશીભાઇ અઘારા પટેલ ઉવ.૫૯ રહે.મોરબી રવાપર હનુમાનજી મંદિર સામે યોગીરાજ એપાર્ટમેન્ટ બ્લોક નં.૫૦૧ તા.જી.મોરબી વાળો મળી આવતા ઇસમને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...