મોરબી: મોરબી માળિયા વિધાનસભા બેઠકના ઉમેદવાર કાંતિભાઇ અમૃતિયા જંગી લીડથી વિજેતા બન્યા છે ત્યારે કાંતિભાઇ અમૃતિયા દ્વારા આજે ઝુલતાપૂલ દુર્ઘટનાના મૃતકોના મોક્ષ માટે મચ્છુમાંના મંદિર ખાતે કાંતિલાલ અમૃતિયા દ્વારા મોક્ષયજ્ઞ યોજાયો હતો. બોહળી સંખ્યામાં લોકોએ મોક્ષયજ્ઞમાં ઉપસ્થિત રહી દિવગંતોને મોક્ષ મળે તે માટે પ્રાર્થના કરી હતી.
મોરબી માળિયા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કાંતિભાઇ અમૃતિયાએ જંગી લીડથી ઐતિહાસિક જીત મેળવી હતી. જેમ કે ઝુલતા પુલ દુર્ઘટનાને કારણે અગાઉ વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરતી વખતે પણ સાદાઈથી જ ફોર્મ ભર્યું હતું. ત્યારે ગઈ કાલના રોજ મોરબી માળિયા વિધાનસભા બેઠક પરથી લીડથી વિજેતા થયા હોવા છતાં ભવ્ય જીતની ઉજવણી સાદાઈથી રેલી કાઢીને કરી હતી. ત્યારે આજે ઝુલતાપૂલ દુર્ઘટનાના મૃતકોના મોક્ષ માટે મચ્છુમાંના મંદિર ખાતે મોક્ષયજ્ઞનું આયોજન કર્યું હતું. જેમાં યજ્ઞમાં ઝુલતાપૂલ દુર્ઘટનાના મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ યજ્ઞમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને દિવગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...