મોરબી: મોરબી માળિયા વિધાનસભા બેઠકના ઉમેદવાર કાંતિભાઇ અમૃતિયા જંગી લીડથી વિજેતા બન્યા છે ત્યારે કાંતિભાઇ અમૃતિયા દ્વારા આજે ઝુલતાપૂલ દુર્ઘટનાના મૃતકોના મોક્ષ માટે મચ્છુમાંના મંદિર ખાતે કાંતિલાલ અમૃતિયા દ્વારા મોક્ષયજ્ઞ યોજાયો હતો. બોહળી સંખ્યામાં લોકોએ મોક્ષયજ્ઞમાં ઉપસ્થિત રહી દિવગંતોને મોક્ષ મળે તે માટે પ્રાર્થના કરી હતી.
મોરબી માળિયા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કાંતિભાઇ અમૃતિયાએ જંગી લીડથી ઐતિહાસિક જીત મેળવી હતી. જેમ કે ઝુલતા પુલ દુર્ઘટનાને કારણે અગાઉ વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરતી વખતે પણ સાદાઈથી જ ફોર્મ ભર્યું હતું. ત્યારે ગઈ કાલના રોજ મોરબી માળિયા વિધાનસભા બેઠક પરથી લીડથી વિજેતા થયા હોવા છતાં ભવ્ય જીતની ઉજવણી સાદાઈથી રેલી કાઢીને કરી હતી. ત્યારે આજે ઝુલતાપૂલ દુર્ઘટનાના મૃતકોના મોક્ષ માટે મચ્છુમાંના મંદિર ખાતે મોક્ષયજ્ઞનું આયોજન કર્યું હતું. જેમાં યજ્ઞમાં ઝુલતાપૂલ દુર્ઘટનાના મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ યજ્ઞમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને દિવગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
GSEB Result 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી-માર્ચમાં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાના લાખો વિદ્યાર્થીઓની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. બોર્ડ દ્વારા સત્તાવાર રીતે પરિણામની તારીખોની જાહેરાત કરવામાં આવી છે.
ક્યારે જાહેર થશે પરિણામ?
4 મે, 2026: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ (Science), સામાન્ય પ્રવાહ (Commerce/Arts),...
ગાંધીનગર: ગુજરાતમાં માર્ગ અકસ્માતોના ગંભીર પ્રમાણને ઘટાડવા અને જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. આજથી એટલે કે 1 મે 2026 થી સમગ્ર રાજ્યમાં એક મહિના સુધી “હેલ્મેટ અમલીકરણ વિશેષ ડ્રાઇવ” શરૂ કરવામાં આવી છે. આ અભિયાન 31 મે સુધી અવિરત ચાલશે.
બંને સવારી માટે હેલ્મેટ...
ચાલુ વર્ષે ભારતમાં આબોહવા અને ઋતુચક્રમાં એક મોટો તથા ચિંતાજનક બદલાવ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે જે કાળઝાળ ગરમી એપ્રિલ કે મે મહિનામાં અનુભવાતી હોય છે, તેણે આ વર્ષે માર્ચ મહિનાની શરૂઆતમાં જ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં...