ટંકારા : ટંકારા તાલુકાની મેઘપર (ઝાલા) પ્રાથમિક શાળામાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે વક્તૃત્વ સ્પર્ધા અને ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1 થી 8 ધોરણના 22 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો
ટંકારા તાલુકાના મેઘપર (ઝાલા) ગામની પ્રાથમિક શાળામાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત “ગુજરાતની ન થાય વાત” વિષય પર વક્તૃત્વ સ્પર્ધા, ગુજરાતના ગીતોની સ્પર્ધા, રાષ્ટ્ર નિર્માણ કલ્પના, કાઠિયાવાડી દુહા છંદ સ્પર્ધા અને બાળગીત સ્પર્ધાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 1 થી 8 ધોરણના 22 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈને ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું હતું જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તકે શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...