મોરબી તાલુકાના નારણકા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ૨૦૧૮/૨૦૨૨ સુધી ફરજ બજાવી ચુકેલ દિવ્યરાજસિંહ જાડેજાની ખાખરાળા ગામે બદલી થતાં વિદાય સન્માન સમારોહનું નારણકા ગામે આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ નવનિયુક્ત તલાટી કમ મંત્રીનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં નારણકા ગામે જુના પાદર ખાતે નારણકા ગ્રામ પંચાયત કમિટી દ્વારા દિવ્યરાજસિંહ પ્રવિણસિંહ જાડેજાનું શાલ તથા શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ખાખરાળાથી નારણકા ગામે મુકાયેલ નવનિયુક્ત તલાટી કમ મંત્રી જયદિપભાઈ જોગલનું પણ શાલ ઓઢાડી નારણકા ગ્રામ પંચાયત કમિટીએ સન્માન કર્યું હતું. આ તકે ગામમાં ૨૦૧૮ થી ૨૦૨૨ સુધીમાં તલાટી કમ મંત્રી તરીકે દિવ્યરાજસિંહ જાડેજાએ નારણકા ગામમાં 100% ભૂગર્ભ ગટર, સી.સી.રોડ, સમગ્ર ગામમાં પીવાની લાઇનની સુવિધા, ૨૪ કલાક વીજળીની સુવિધા, પ્રાથમિક શાળામાં ગ્રાઉન્ડમાં આર.સી.સી તથા છત રિપેરિંગ, સ્મશાન જવાના રસ્તાઓમાં સી.સી.રોડ, અનુ.જાતિ સમાજના સ્મશાન જવાના રસ્તે કોઝ વે, કોરોના મહામારી સમયે સેનિટાઈઝેશન કામગીરી તથા માસ્ક, સેનિટાઇઝર વિતરણ, ગ્રામ પંચાયતમાં ઇ ગ્રામ સુવિધા, આવકના દાખલા, 7-12, 8અ વગેરે તથા સરકારશ્રની મળતી યોજના વિશે માહિતી આપી લાભો અપાવવાના યથાત પ્રત્યન કરી ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ નારણકા ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી તલાટી કમ મંત્રી દિવ્યરાજસિંહ જાડેજાને વિદાયમાન અપાયું હતું
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...