બગથળા સોશિયલ ગ્રુપનો 8મીએ 27મો વાર્ષિક ઈનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

મોરબી: બગથળા સોશિયલ ગ્રુપનો ૨૭મો વાર્ષિક ઈનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ આગામી તા. ૮ જાન્યુઆરી રવિવારના રોજ સાંજે ૩:૩૦ કલાકે ઘુનડા રોડ પર આવેલ ગોકુલ ફાર્મ ખાતે રાખવામાં આવેલ છે.

મોરબીમાં દરેક ગ્રુપ જ્ઞાતિ પ્રમાણે હોય છે આં એક ગ્રુપ એવું છે કે નાત જાતના ભેદભાવ વગર દરેક સભ્યો ભેગા મળીને સ્નેહ મિલન રાખે છે. આં ગ્રુપને ૨૭ વર્ષ પુર્ણ થયા છે અને આજે પણ કોઈ પણ જાત નાં નાત જાતના ભેદભાવ વગર સૌ સાથે મળીને કાર્યક્રમ ઉજવે છે. આં કાર્યક્રમમાં આશીર્વચન બગથળા નકલંક મંદિરનાં મંહત દામજી ભગત દ્વારા પાઠવવામાં આવશે તો સૌ બગથળાનાં વતની અને મોરબીમાં રહેતા હોય તે સૌ ને પધારવા માટે આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.તેમજ આં કાર્યક્રમનું સફળ સંચાલન આરતીબેન રોહનભાઇ રંકાજા દ્વારા કરવામાં આવશે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img