મોરબી ACB પોલીસ દ્વારા જિલ્લા ફૂડ વિભાગના અધિકારીઓની હળવદના શીરોઈ ગામ પાસે ચેક કરવામ આવ્યા હતા. હાલ તેમની પાસે 6૭ હજાર થી વધુ રકમ પણ મળી આવી છે ત્યારે આ રકમ ક્યાંથી આવી ? અને કઈ રીતે આવી ? તે તપાસનો વિષય છે.
ગઇ કાલે એસીબી કન્ટ્રોલરૂમ ને ટેલીફોનીક ખાનગી બાતમી મળેલ કે હળવદ થી મોરબી રોડ પર ફૂડ એન્ડ ડ્રગ કચેરી મોરબી ના અધિકારી, વેપારીઓ પાસેથી નાણાં મેળવી નીકળે છે. જેથી સરકારી પંચ સાથે રાખી પી. કે. ગઢવી PI-ACB મોરબી ના એ સરપ્રાઇઝ ચેકિંગ ગોઠવી, કાર રોકી ચેકીંગ કરતાં, GJ-04-BE-5718 ની વોકસવેગન પોલો કાર મા હર્ષાબેન બી. પટેલ સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર વર્ગ-૨ તથા ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર ચિરાગ નિમાવત ફૂડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ કચેરી મોરબી ના ઓ પાસેથી મળી આવેલ રોકડ અનુક્રમે ૬૭૯૩૦/= તથા ૮૭૨૦/=નો સંતોષકારક ખુલાસો ન કરતાં, ભ્રષ્ટાચાર સબંધી શંકાસ્પદ ગણી, કબજે લઈ, મોરબી એસીબી પો. સ્ટે. માં જાણવા જોગ દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુ કરવામા આવેલ છે.
આ ઉપરાંત ACBના અધિકારીઓએ જણાવ્યું છે પણ લાંચ અંગેની કોઈપણ વિગત કે માહિતી મળે તો 1064 પર વિના સંકોચે સંપર્ક કરવો જેથી લાંચરૂશ્વતના દુષણને અટકાવી શકાય
આજે 1 સપ્ટેમ્બરથી દેશભરમાં અનેક મહત્વના ફેરફારો અમલમાં આવ્યા છે. આ ફેરફારો સીધી રીતે સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. LPG સિલિન્ડરના ભાવથી લઈને કારની કિંમત, આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, દૂધ અને ઓટો-ટેક્સીના ભાડા સહિત ટેક્સ અને રોકાણ સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થયો છે. ત્યારે...
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...