મોરબી: મોરબીમાં જુના બસ સ્ટેશને લાંબા રૂટની તેમજ ગ્રામ્ય વિસ્તારની બસો આવતી હોય છે. તેમજ દરેક રૂટની બસ મોરબી જુના બસ સ્ટેશને આવતી હોય છતા પણ મોરબી જુના બસ સ્ટેશને ઘણા સમયથી રિઝર્વેશન બારી બંધ છે જેથી તાત્કાલિક આ બારીને શરૂ કરવાની પી.પી. જોશી દ્વારા એસટી વિભાગને રજુઆત કરી છે.
મોરબી જીલ્લો બન્યો એને ઘણો સમય વિતી ગયો છે તેમ છતાં એસટી, રેલ્વે તેમજ અન્ય વિભાગ લોકોને સારી સેવા આપવામાં સફળ થયા નથી. જ્યારે મોરબીના જૂના બસ સ્ટેશન ખાતે રિઝર્વેશન બારી બંધ છે જેની અવારનવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી શરૂ થઈ નથી ત્યારે વધુ એક વખત મોરબીમાં રહેતા જાગૃત નાગરિક દ્વારા આ બાબતે એસટી વિભાગને રજુઆત કરવામાં આવી છે. ત્યારે બસમાં મુસાફર મોંઘાદાટ ભાડા ખર્ચ કરીને નવા બસ સ્ટેશન ખાતે રિઝર્વેશન કરવા માટે જવુ પડે છે. તેથી જ જો જુના બસ સ્ટેશને કંટ્રોલ પોઇન્ટ ચાલુ છે અને સાથે જો રિઝર્વેશન બારી શરૂ કરવામાં આવે તો લોકોને ઘણો ફાયદો થાય તેમ છે. તેમજ જુના બસ સ્ટેશન ખાતે ગંદકીના ઢગલા દુર કરવા પણ જરૂરી છે. જેથી મોરબી શહેરમાં રહેતા જાગૃત નાગરિક પી.પી. જોશી દ્વારા વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે તે માટે પ્રજા વતી એસટી વિભાગને રજુઆત કરવામાં આવેલ છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...