મોરબી સત્સંગ સમાજ દ્વારા રવાપર-ધુનડા રોડ પર આવેલા સનસીટી ગ્રાઉન્ડ ખાતે આગામી તારીખ 26 એપ્રિલથી 2જી મે દરમિયાન હનુમાન ચાલીસા કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ રાત્રે 8:30 થી 11:30 કલાક સુધી વક્તા પદે હરિપ્રકાશદાસજી સ્વામી – અથાણાવાળા (સાળંગપુરધામ) બિરાજીને પોતાની આગવી સંગીતમય શૈલીમાં સુમધુર કથાનું રસપાન કરાવશે.
મોરબી સત્સંગ સમાજ દ્વારા યોજાનાર આ કથાનો પ્રારંભ તા. 26 એપ્રિલને મંગળવારના રોજ રાત્રે 08:30 કલાકે થશે. રાત્રે 9 કલાકે સંતોના તથા કથાના યજમાનોના હસ્તે દિપ પ્રાગટ્ય થશે. તા. 30 એપ્રિલના રોજ રાત્રે 9 કલાકે અન્નકૂટ ઉત્સવ યોજાશે ત્યારબાદ તા. 30 એપ્રિલના રોજ રાત્રે 10:30 કલાકે હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવશે જેમાં હનુમાનદાદાને 51 કિલોની કેક ધરવામાં આવશે, 108 કિલો પુષ્પવર્ષાથી હનુમાનજી મહારાજ સંતો ભક્તોને વધાવવામાં આવશે, સમગ્ર સભામંડપ ફૂલો અને ફૂગ્ગાથી સજાવવામાં આવશે, અનેક પ્રકારના હનુમાનજી અને વાનર સેનાના દર્શન થશે અને 51 કિલો ચોકલેટ-કેડબરી દાદાને ધરવામાં આવશે. આ ઉપરાંત તા. 28 એપ્રિલને ગુરુવારના રોજ કથા સ્થળે રાત્રે 8:00 થી 10:00 કલાક સુધી બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે અને તા. 2 મે ના રોજ રાત્રે 11:30 કલાકે કથાની પૂર્ણાહુતિ થશે.
આ હનુમાન ચાલીસા કથાનું લાઈવ પ્રસારણ પણ નીહાળી શકાશે અને આ કથામાં દર્શનીય સંતો, કથાના યજમાનો, સરકારી અધિકારીઓ, રાજકીય મહાનુભાવો અને સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...