મોરબીના જાકાસણીયા કેવલ તેજશભાઈ નામના તરુણે તા. 12/09/1899 ના રોજ ઉત્તર પ્રદેશના હેલી ગ્રાઉન્ડ ખાતે સવારના 7:54 વાગ્યે બનેલ ઘટનાનો ચિતાર રજુ કરતો લેખ “મૃત્યુનો ખેલ” લખવાની શરૂઆત કરી છે જેના અલગ અલગ ભાગ દર રવિવારે પ્રસિદ્ધ થશે ત્યારે આજે રવિવારે મૃત્યુનો ખેલ ભાગ-1 પ્રસિદ્ધ થયો છે તે કંઈક આવી રીતે છે…
આ વાત 1899 ના સમયગાળા દરમિયાન અંગ્રેજોએ ખેડૂતો પર કરેલા અત્યાચાર વિષય પર છે. 12 સપ્ટેમ્બર 1899 ના રોજ સવારના 7:54 વાગ્યે ખેડૂતો દ્વારા ઉત્તર પ્રદેશમાં આંદોલન રચાયેલું હતું. આ નાટકમાં ભારતના ખૂણે ખૂણેથી ખેડૂતો આવેલા હતા. આ આંદોલન માત્ર ખેડૂતોને ન્યાય અપાવવા માટે રચવામાં આવેલું હતું તે સમયગાળા દરમિયાન અંગ્રેજો ખેડૂતો પર બહુ જોર-જુલ્મ કરતા હતા જેથી ખેડૂતો પરેશાન થઈને પોતાનું આંદોલન રચી રહ્યા હતા. આ નાટકને કારણે અંગ્રેજ સરકારની માથાદીઠ આવક રોકાઈ ગઈ હતી.
અંગ્રેજી અધિકાર ફ્રેન્ચ યુનિક બોલ્યો, “કિંગ, હવે આપણે ફસાઈ ગયા.
કિંગ : “કેમ ફ્રેન્ચ યુનિક”
ફ્રેન્ચ યુનિક :”કિંગ ,આપણે આ આંદોલનને બંધ કરાવી દઈએ તો પણ આપણી માથાદીઠ આવક બંધ થઈ જશે.”
ત્યારે અંગ્રેજો સંપૂર્ણ રીતે હાર માનવાના સંજોગોમાં પહોંચી ગયા, આથી અંગ્રેજ સરકારે ઘોષણા કરી કે ખેડૂતોને અન્યાય થતો રોકવા માટે તમારે આ આંદોલનને બંધ કરવું પડશે . બધા ખેડૂતો મોટેથી ના પાડવા લાગ્યા અને અંગ્રેજી અધિકારોને નિષ્ફળતા મળી. તેમાંથી એક અંગ્રેજી અધિકારી જેન્સ બોલ્યો.
જેન્સ : “કિંગ, આપણે નાટક રચનારા ખેડૂતોની પત્નીઓને ગિરફ્તાર કરીને તેને તડપાવી તડપાવીને મારી નાખી તો ? “
કિંગ :”આ વિચાર સારો છે”
કિંગે પોતાના 2000 અધિકારીઓને ખેડૂતોની પત્નીઓને લઈ આવવા માટે આદેશ આપ્યો. બીજા દિવસની સવારે ખેડૂતોની બધી પત્નીઓને ખીલામાં પરોવીને મારી નાખેલી લાશને ખેડૂતોની સામે લઈ આવ્યા. ખેડૂતોએ દિલ ઉપર પથ્થર રાખીને આંદોલન ચાલુ રાખ્યું.
બીજા દિવસે અંગ્રેજ સરકારે નક્કી કર્યું કે કોઈને ખબર ન પડે તેવી રીતે ત્યાં પહોંચવું અને બધા ખેડૂતોને ગોળીઓથી મારી નાખવા, કોઈ પણ રસ્તામાં વચ્ચે અડચણરૂપ થાય તો તેને ત્યાં જ મારી નાખવા. આ આંદોલનમાં સૌથી વધારે પંજાબના ખેડૂતો હતા.
આઠમાં દિવસની રાત્રે પંજાબના લોકોએ અંગ્રેજોના પોલીસ સ્ટેશનમાં આગ લગાવીને ત્રણ હજાર કરતા વધુ અંગ્રેજ અધિકારીઓને મૃત્યુના ઘાટે ઉતાર્યા અને તેનો બદલો લીધો અને અંગ્રેજોએ પંજાબના લોકોને આજીવન જેલની સજા કરી…
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...