ગોર ખીજડીયાના તમામ ગ્રામજનોને ધરઆંગણે અને ઝડપથી સરકારી યોજનાઓનો લાભ મળે અને એમના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે એવાં ઉમદા હેતુથી જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ગોર ખીજડીયા ગ્રામ પંચાયત દ્વારા ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
સરકારી યોજનાઓના લાભ અને સહાયતાની વ્યક્તિગત અરજીઓનો એક જ દિવસમાં સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે તેવું ગોરખીજડીયા ગ્રામ પંચાયત નાં સરપંચ ગૌતમભાઈ મોરડીયા ની યાદી માં જણાવ્યું છે
•રેશન કાર્ડની લાગતી અરજીઓ
(નામ વધારો,નામ કમી,નામ સુધારો)
•આધાર કાર્ડની લાગતી અરજીઓ
(નામ વધારો,નામ કમી,નામ સુધારો)
•આવક,જાતિ,નોન ક્રીમીલેયર,જાતિનો દાખલાઓ
•પ્રધાનમંત્રી તમામ યોજનાઓ
•આરોગ્યની તમામ સેવાઓ
•અન્ય તમામ યોજનાઓ,સેવાઓ લાભ મળશે
તારીખ ૦૪/૦૬/૨૦૨૨,શનિવાર
સમય સવારે ૧૦ થી બપોરના ૩ વાગ્યા સુધી
સ્થળ પટેલ સમાજ વાડી,ગોર ખીજડીયા
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...