યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગાંધીનગર ગુજરાત દ્વારા આયોજિત જિલ્લા વહીવટી તંત્ર મોરબી જિલ્લા રમતગમત અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત 11 મો ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાનું લોન ટેનિસ સ્પર્ધાનું આયોજન તારીખ 25, 3, 2022 ને શુક્રવારના રોજ યુનિક ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ એકેડમી મોરબી દ્વારા રવાપર ના સરપંચ શ્રી નીતિન ભાઈ ના મુખ્ય મહેમાન પદે અને યુનિક સ્પોર્ટ્સ એકેડમી ના સંચાલકો દ્વારા આયોજિત કરવામાં આવ્યું
સ્થળ સંચાલક તરીકે કિરીટભાઈ દેકાવડીયા દ્વારા કરવામાં આવ્યું રેફરી તરીકે પરિમલ ભાઈ સાંગાણી રાજકોટની ટીમ દ્વારા કાર્યક્રમને સુપેરે પાર પાડવામાં આવ્યો આ કાર્યક્રમનું ઓપનિંગ ભારતીય સંસ્કૃતિ મુજબ નારિયેળ ફોડીને કરવામાં આવ્યું સાથે મોરબી જિલ્લાના તમામ તાલુકામાંથી આવેલા રમતવીરોને લીંબુ શરબત અને પફનો નાસ્તો યુનિક સ્પોર્ટ્સ એકેડમી તરફથી કરાવવામાં આવ્યો…નાસ્તા અને સરબત ના વિતરણ અને બનાવવા માં એકેડમીના તમામ ભાગીદારો એ જહેમત ઉઠાવી… વ્યવસ્થિત રીતે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો સાથે પાટીદાર ધામ મોરબી દ્વારા એમ્બ્યુલન્સની સેવા પણ આપવામાં આવી… જહેમંત ઉઠાવનાર વિમલ ભાઈ, કેવિન ભાઈ અનિલ ભાઈ,નરેન્દ્ર ભાઈ,ચેતન ભાઈ,દેવરાજ ભાઈ,રામજી ભાઈ,ઘનશ્યામ ભાઈ,જયદીપ ભાઈ,ઉત્સવ ભાઈ,મયુર ભાઈ,શૈલેષ ભાઈ તમામ આયોજકોનો આ તકે યુનિક ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ એકેડમી એ ખુબ ખુબ આભાર માન્યો….
મોરબી : દેવર્ષિ નારદ જયંતિ નિમિતે વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા પત્રકાર મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
દેવર્ષિ નારદ જયંતિ નિમિતે વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા આગામી તા.૨૪ને શુક્રવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે શિશુમંદિર શકત શનાળા મોરબી - રાજકોટ મોરબી ખાતે પત્રકાર મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં વક્તા...
મોરબી: મોરબીના ખાખરેચી નિવાસી લીલાબેન ધનજીભાઈ સંતોકીનુ તા. ૨૦-૦૫-૨૦૨૪ ના રોજ સોમવારે દુઃખદ અવસાન થયેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.
સદૂગતનું બેસણું :તારીખ :- ૨૪-૦૫-૨૦ર૪ શુક્રવાર સમય :- સાંજે ૪-૦૦ થી ૬-૦૦ કલાકે સ્થળ :- વૃંદાવન સમાજવાડી- ઘૂંટુ (જુનુ ગામના જાપે) ખાતે રાખેલ છે
...
મોરબી: મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથ ના માધ્યમથી મોરબી સિવિલ હોસ્પીટલ માં ૪૦ જેટલી પ્રસુતા માતાઓને ચોખ્ખા ઘી નો શીરો અર્પણ કરવામાં આવ્યો.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં...