મોરબીને સરકારી મેડિકલ કોલેજને બદલે બ્રાઉન ફિલ્ડ ખાનગી મેડિકલ કોલેજ આપવાના ગુજરાતની ભાજપ સરકારના નિર્ણયનો જોરદાર વિરોધ થઇ રહ્યો છે એવા સમયે મોરબી માળીયા વિસ્તારનાં પુર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા મુખ્યમંત્રી ને લેટર દ્વારા રજુઆત કરવામાં આવી છે
મોરબી જીલ્લાને મળેલ સરકારી મેડીકલ કોલેજનું કોઈ ખાનગી રાહે સંચાલન કરવા માટે ગુજરાત સરકારએ વિચારણા કરેલ હતી. તે અંગે મોરબી જીલ્લાને મળેલી સવલત જળવાઈ રહે તે માટે રજુઆત કરવામાં આવી છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં વૈશ્વિક મહામારી કોવીડ-૧૯ માં પણ મોરબીમાં ડોક્ટરની ઘટ જણાય આવી હતી અને તેની સારવાર ઉચિત રીતે મળી શકી ન હતી તેવા સમયે મોરબી મુકામે મંજૂર થયેલી સરકારી મેડિકલ કોલેજને અન્યત્ર સ્થળે તબદીલ કરવી એ મોરબી માટે ખૂબ જ અન્યાયકર્તા છે તેવુ કહેવામાં આવ્યુ છે.
તેમજ મોરબી વિસ્તારમાં પ્રતિ વર્ષે સેંકડો વિદ્યાર્થીઓ ચીન ફિલિપાઇન્સ રશિયા યૂક્રેન નેપાળ જેવા દેશોમાં એમબીબીએસ કરવા માટે જાય છે તેવા સમયે મોરબી જિલ્લા માટે મંજૂર થયેલી સરકારી મેડિકલ કોલેજ અન્યત્ર તબદીલ કરવાનો નિર્ણય રદ કરી મોરબી જિલ્લામાં કાર્યરત કરવાનો આદેશ પ્રસિધ્ધ કરવામાં આવે તેવી ભલામણ સાથે વિનંતી આ લેટરમાં કરવામાં આવી છે.
આજે 1 સપ્ટેમ્બરથી દેશભરમાં અનેક મહત્વના ફેરફારો અમલમાં આવ્યા છે. આ ફેરફારો સીધી રીતે સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. LPG સિલિન્ડરના ભાવથી લઈને કારની કિંમત, આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, દૂધ અને ઓટો-ટેક્સીના ભાડા સહિત ટેક્સ અને રોકાણ સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થયો છે. ત્યારે...
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...