મોરબી : મોરબી જિલ્લા માં કોરોના નાં કેસ ની રફતાર દિનપ્રતિદિન ઘટતાં આજ રોજ એક પણ નવો કેસ ન નોંધાતા મોરબી જિલ્લો કોરોના મુક્ત થયા નું જાણવા મળેલ છે આજે મોરબી જિલ્લો એક માત્ર એક્ટિવ કેસ પણ આજે રિકવર થઈ જતા હવે મોરબી જિલ્લો કોરોનાથી સંપૂર્ણ મુક્ત જાહેર કરી દેવામાં આવ્યો છે.
મોરબી જિલ્લામાં કોરોનાની બીજી લહેર ઘાતક નીવડ્યા બાદ ત્રીજી લહેરમાં પણ દૈનિક કેસોનો આંકડો 350ને પાર પહોંચ્યો હતો. જો કે ત્યારબાદ દૈનિક કેસનો ગ્રાફ સડસડાટ નીચે પણ આવી ગયો હતો. છેલ્લા ઘણા સમયથી કોરોના કેસ સિંગલ ડિજિટમાં પહોંચ્યા હતા. ત્યારબાદ છેલ્લા થોડા દિવસોથી એક પણ કેસ નોંધાતો ન હતો. સામે રિકવર દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી હતી.ગઇકાલની સ્થિતિએ મોરબી જિલ્લામાં એક માત્ર એક્ટિવ કેસ વધ્યો હતો. ત્યારે આજે આરોગ્ય વિભાગે 517 દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાંથી કોઈને કોરોના પોઝિટિવ આવ્યો ન હતો. ઉપરાંત જે એક્ટિવ કેસ હતો તે પણ આજે રિકવર થઈ ગયો છે એટલે હવે મોરબી જિલ્લો કોરોના મુક્ત બન્યો છે.
ચાલુ વર્ષે ભારતમાં આબોહવા અને ઋતુચક્રમાં એક મોટો તથા ચિંતાજનક બદલાવ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે જે કાળઝાળ ગરમી એપ્રિલ કે મે મહિનામાં અનુભવાતી હોય છે, તેણે આ વર્ષે માર્ચ મહિનાની શરૂઆતમાં જ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં...
રાજકોટ શહેર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને સ્થાનિક રાજકીય માહોલ ધીમે ધીમે ગરમાઈ રહ્યો છે. આ ચૂંટણી જંગમાં મજબૂત દાવેદારી નોંધાવવાના હેતુથી આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પોતાની સંગઠનાત્મક તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે પાર્ટી દ્વારા તાજેતરમાં રાજકોટના તમામ વોર્ડ માટે સઘન ઉમેદવાર પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં...
મારુતિનગર પ્રાથમિક શાળામાં આપત્તિ વ્યવસ્થાપન પ્રોજેક્ટ અંતર્ગત શાળા સલામતી અંગે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને આગ, પૂર, ભૂકંપ જેવી આપત્તિઓ સમયે કેવી રીતે સાવચેત રહેવું અને સુરક્ષિત રીતે વર્તવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમના ભાગરૂપે શાળા પરિસરમાં ફાયર ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું, જેમાં...