મોરબી : વિશ્વ તમાકુ નિષેધ દિવસ ની ઉજવણી ના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રિક્ટ ટોબેકો કન્ટ્રોલ સેલ મોરબી દ્વારા ઔદ્યોગિક તાલીમ સંસ્થા મોરબી ખાતે વ્યસનની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં તમામ ટ્રેડના તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ અને પોતાની કલાથી વ્યસનની જાગૃતિ દર્શાવતા ચિત્રો દોર્યા હતા એક થી દસ સુધી નંબર મેળવનાર તમામ વિજેતાને ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ઇનામ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ ટોબેકો કન્ટ્રોલ સેલ દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનની શારીરીક અસરો આર્થિક અસરો અને વ્યસન મુક્તિ ના ફાયદા અંગે માહિતી આપેલ ત્યારબાદ સંસ્થાના આચાર્ય આર.બી. પરમાર દ્વારા ડિસ્ટ્રિક્ટ ટોબેકો કન્ટ્રોલ આભાર માનતા દરેક વિદ્યાર્થીઓને આ કાર્યક્રમના માધ્યમથી દરેક તાલીમાર્થીઓ પોતે વ્યસન મુક્ત બને અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનવા અનુરોધ કર્યો હતો અને વ્યસન મુક્તિ અંગે પોતાનો જાત અનુભવ પણ જણાવેલ આ કાર્યક્રમમાં આરોગ્ય શાખાના આઈ.ઈ.સી અધિકારી જી.વી.ગાંમભવા પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના તમામ સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...