મોરબી : મોરબી શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે માસ મટનનો વેપાર ખુબ વધ્યો છે અને જાહેરમાં કોઈપણ મંજૂરી વગર માસ મટનના અમુક ધંધાર્થીઓએ હાટડા ખડકી દીધા છે ત્યારે મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ આવેલ મચ્છી માર્કેટ અને ગેસ્ટ હાઉસ રોડ પર આવેલ શક્તિ ચોકમાં ગેરકાયદે માસ મટનનું વેચાણ કરતા 15 ધંધાર્થીઓને નગરપાલિકા તંત્રએ નોટિસ ફટકારી છે તેમજ માસ મટનનો ગેરકાયદેસર વેપાર ત્રણ દિવસમાં બંધ કરવામાં નહીં આવે તો ફોજદારી કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.
મોરબી શહેરમાં ધમધમતા માસ મટનના ગેરકાયદેસર વેપાર સામે નગરપાલિકા તંત્રએ લાલ આંખ કરી છે. મોરબી નગરપાલિકાએ શહેરના શક્તિ ચોક અને જુના બસ સ્ટેન્ડ પાછળ આવેલ મચ્છીમાર્કેટમાં માસ મટનનું વેચાણ કરતા 15 ધંધાર્થીઓને નોટિસ ફટકારી છે. જે નોટિસમાં નગરપાલિકાએ જણાવ્યું છે કે, શક્તિ ચોક અને જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં જાહેરમાં ગેરકાયદેસર રીતે માસ મટનનું વેચાણ થતું જે જાહેર આરોગ્ય માટે હાનિકારક છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ જાહેર માર્ગ પર ચાલતી હોય જેથી વાહનોની અવરજવરમાં પણ નડતરરૂપ છે તેમજ જાહેર સલામતી અને સ્વાસ્થ્યને હાનિ પહોંચાડવાની સાથે લોકોની ધાર્મિક લાગણી પણ દુભાઈ છે જેથી ગુજરાત મ્યુનિસિપલ એક્ટ હેઠળ પાલિકા તંત્ર દ્વારા નોટિસ પાઠવીને 15 ધંધાર્થીઓને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ત્રણ દિવસની અંદર બંધ કરવા જણાવાયું છે અન્યથા ફોજદારી કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે તેમજ જો કાયદેસર પરવાના હોય તો પણ ત્રણ દિવસમાં નગરપાલિકામાં રજૂ કરી દેવાની તાકીદ કરવામાં આવી છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...