આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગા વાહિની મોરબી જિલ્લા દ્વારા લસ્સી નું આયોજન કરવામાં આવ્યું હતું
મોરબી અને કચ્છ ની બહેનો એસટી બસ મારફતે પ્રશિક્ષણ વર્ગ માં ભાગ લેવા માટે ભાવનગર જઇ રહી હોય તેમનાં માટે ઉનાળા ની કાળઝાળ ગરમીમાં રાહત મળે તેવાં ઉમદા હેતુથી નવાં બસ સ્ટેન્ડ પાસે ઠંડી લસ્સી નું આયોજન કરવામાં આવ્યું હતું
ઠંડી લસ્સી પીવડાવી પ્રશિક્ષણ વર્ગ માં ભાગ લેવા જઇ રહેલી તમામ બહેનો ને રવાના કરવામાં આવી હતી આ પ્રસંગે વિશ્વ હિન્દૂ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત સામાજિક સમરસતા અઘ્યક્ષ રમેશભાઈ પંડ્યા, વિશ્વ હિન્દૂ પરિષદ મોરબી જિલ્લા અઘ્યક્ષ મહેન્દ્રભાઈ સવસાણી, દુર્ગાવાહિની મોરબી જિલ્લા સંયોજિકા ઝંખનાબેન દવે, સેવાવિભાગ સંયોજિકા જયશ્રીબેન વાઘેલા સહીતના દુર્ગાવાહિનીના બેહનો જોડાયા હતા
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...