મોરબી નાં જુના બસ સ્ટેન્ડ મા લોકો નાં ખીસ્સા કાપવાના અને કિંમતી માલસામાન ની ચોરી થવાના કિસ્સા ઓ અવારનવાર સામે આવે છે ત્યારે વધુ એક લાખો રૂપિયા નાં મુદામાલ ની ચોરી થયા ની પોલીસ ફરીયાદ નોંધાયેલ છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ કેશોદના રહેવાસી હેમીબેન કરશનભાઈ ચાવડાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ મોરબી તેના ભાઈ નટુભાઈના ઘરે દીકરીના લગ્ન હોવાથી આવ્યા હતા જેથી લગ્નમાં પહેરવા સોનાના દાગીના સાથે લાવ્યા હતા જે લગ્ન પતાવીને તેઓ તા. ૨૩-૦૨ ના રોજ કેશોદ જવા મોરબીના જુના બસ સ્ટેન્ડ આવ્યા હતા અને મોરબી-રાજકોટ એસટી બસમાં ચડતી વેળાએ તેના ખભે રાખેલ પર્સમાં રહેલા સોનાના દાગીના જેમાં સોનાનો હાર ત્રણ તોલા કીમત રૂ ૭૫,૦૦૦ સોનાની વીંટી એક તોલા કીમત રૂ ૨૫,૦૦૦, સોનાનું લોકેટ સાડા ત્રણ તોલા કીમત રૂ ૭૫,૦૦૦ અને ૧૫૦૦ રોકડ સહીત ૧,૭૬,૫૦૦ ની મત્તા ચોરી થઇ હતી.
બસમાં ચડ્યા બાદ મહિલાએ પર્સ ચેક કરતા તેને જાણ થઇ હતી અને લજાઈ ચોકડી પાસે બસ ઉભી રખાવી બાદમાં પોલીસને ફરીયાદ કરી હતી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી રહી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...