મોરબી: એક રહેણાંક મકાનને તસ્કરે નિશાન બનાવી અધધધ 1100 ગ્રામ સોનુ અને રૂ. 15 લાખ રોકડાની તસ્કરીને અંજામ આપ્યો છે. જો કે ચોકીદારી કરતો શખ્સ પણ ગાયબ હોય, શંકાના દાયરામાં આવ્યો છે.હાલ આ મામલે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે.
મોરબી કાયાજી પ્લોટ મેઈન રોડ ઉપર રહેતા હિમાંશુભાઈ ચંદ્રકાંતભાઈ ચંડીભમર પરિવાર સાથે ગઇકાલે રાજકોટ પ્રસંગમાં ગયા હતા. તેઓ આજે ઘરે પરત આવ્યા હતા. જે દરમીયાન તેઓને માલુમ પડ્યું કે ઘરમાં ચોરી થઇ હતી. ચોર 1100 ગ્રામ સોનાના દાગીના અને રૂ. 15 લાખ રોકડા ઉઠાવી ગયા હતા. આ સાથે ચોર સીસીટીવીનું ડીવીઆર પણ પોતાની સાથે લઈ ગયાનું ધ્યાને આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે પ્રસંગમાં જવાનું હોય પરિવારે લોકરમાંથી દાગીના કાઢ્યા હતા. પણ તે દાગીના ઘરે જ રહી ગયા હોય, ચોરે મોકો જોઈને ઘરને નિશાન બનાવ્યું હતું. ઉપરાંત હાલ ઘરની ચોકીદારી કરતો શખ્સ પણ ઘરે હાજર ન હતો એટલે તે શંકાના દાયરામાં છે. હાલ આ મામલે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...