મોરબી માં આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ચકલી બચાવો અભિયાન અંતર્ગત એક સરાહનીય સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે
વધું જાણવા મળતી વિગતો મુજબ “વિશ્વ ચકલી દિવસ ”તા.20/ 3/ 2022 નાં રોજ “ચકલીઓ નો માળો બનાવીએ ” અને “ચકલી ને બચાવવા હું શું કરી શકું ?” એ સ્પર્ધા માં આપનાં વિચાર નો વિડીયો બનાવી મોકલી આપો.આવો આપણે ચકલી નાં માળા બનાવીએ, ચકલીઓ ને અગાસી કે બાલ્કની કે ફળીયા માં પાણી નાં કુંડા થોડો ખોરાક (ચણ) બાજરો ચોખા ની કણકી, રોટલી નાં નાનાં ટુકડાઓ ભાત વગેરે અચુક મુકીએ .ઘર આંગણા માં જગ્યા હોયતો જરૂર વૃક્ષારોપણ કરીએ. નાનપણ થી જ કુદરત પ્રત્યે લગાવ રોપીએ.
આપનો ચકલીઓ નો માળો બનાવી ચકલીઓ ને બચાવ માટે હું શું કરી શકું? વિડીયો તા. 20 /3 /2022 રાત્રે ,9=00 સુધી માં નીચે આપેલ કોઈપણ એક વોટ્સપ નંબર પર મોકલી આપો.
98249 12230 / 87801 27202/97279 86386
એલ.એમ.ભટ્ટ- દિપેનભાઈ ભટ્ટ
આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર
ધી વી.સી.ટેક.હાઈસ્કૂલ રૂમ નં.૨૦૨ મોરબી
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...